• IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
  • KKR અભિયાનની શરૂઆત 23 માર્ચેથી કરશે
  • ગંભીરે KKRની ટીમને આપ્યું જબરદસ્ત ભાષણ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ IPLની 17મી સીઝનમાં 23 માર્ચે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેના એક દિવસ પહેલા IPL શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. કોલકાતાની ટીમ બીજા દિવસે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. તેની નજર જીતથી શરૂઆત કરવા પર રહેશે. KKRએ ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. તેણે પોતાના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરને મેન્ટર બનાવ્યો છે. ગંભીરે 2012 અને 2014માં ટીમને ચેમ્પિયન બનાવી હતી.

ગંભીરનું જબરદસ્ત ભાષણ

અગાઉ, ગંભીર બે સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. તે નવી ભૂમિકામાં KKRમાં પરત ફર્યો છે. ગંભીરના આવતાની સાથે જ તેણે ખેલાડીઓમાં ઉત્સાહ જગાવવાનું કામ શરૂ કરી દીધું હતું. તેમણે પ્રથમ તાલીમ સત્રમાં જબરદસ્ત ભાષણ આપ્યું છે. ગંભીરે ખેલાડીઓને કહ્યું છે કે ટીમમાં કોઈ સિનિયર-જુનિયર નથી. ટીમને ચેમ્પિયન બનાવવાનું દરેકનું એક જ મિશન છે. ગંભીરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગંભીરે ટીમને ગેરંટી આપી હતી

ગંભીરે ટ્રેનિંગ સેશન દરમિયાન ખેલાડીઓને કહ્યું, "તમે બધા એક સફળ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો. તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે તમે જે રીતે પ્રેકટીસ કરો છો તે જ રીતે રમો અને સમાન વલણ અપનાવો. હું એક વાતની ખાતરી આપું છું. હું ખેલાડીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપીશ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે મારી સાથે રમ્યા છે તેઓ જાણે છે કે આ ટીમમાં દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે. કોઈ સિનિયર-જુનિયર નથી.

આપણે ટીમને ચેમ્પિયન બનાવવી છેઃ ગંભીર

ગંભીરે તેના ખેલાડીઓને આગળ કહ્યું, "આપણી પાસે માત્ર એક જ મિશન છે ટીમને ચેમ્પિયન બનાવવી. તેથી આપણે તે જ અનુસરવાનું છે. આપણે સખત મહેનત કરવી પડશે અને 26 મે (સંભવિત તારીખ) ના રોજ ફાઇનલ રમવી પડશે. તે વસ્તુની તૈયારી 23 માર્ચથી નહીં પણ આજથી જ શરૂ થશે. આપણે એક હેતુ સાથે આગળ વધીશું અને મજબૂત સ્પર્ધા કરીશું. મને સંપૂર્ણ આશા છે કે આપણે આમાં સફળ થઈશું. હું તમને ખાતરી આપું છું કે સપોર્ટ સ્ટાફ તમારા પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક રહેશે. તમે ગમે ત્યારે પ્રશ્નો પૂછી શકો છો.


  • Follow us on: