- ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ
- પંજાબ કિંગ્સ સિકંદર રઝાને આપી શકે છે તક
IPL 2024ની 17મી મેચ ગુરુવારે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સ ટીમ થોડી પાટા પરથી ઉતરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટીમે સીઝનની શરૂઆત દિલ્હી કેપિટલ્સ સામે જીત સાથે કરી હતી. પરંતુ તે પછી આરસીબી અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ ટીમમાં બેટિંગ અને બોલિંગ ક્રમમાં સ્થિરતા નથી. પરંતું શાનદાર ફોર્મમાં રહેલા ઝિમ્બાબ્વેનો સ્ટાર સિકંદર રઝાને તક આપી નથી.
રઝાએ તાજેતરમાં T20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક પણ લીધી હતી. આ સિવાય આ ફોર્મેટમાં તેનો રેકોર્ડ શાનદાર છે. પરંતુ અત્યાર સુધી તેને બેંચ પર બેસવું પડ્યું છે. ગત સિઝનમાં પણ રઝા માત્ર 7 મેચ રમ્યો હતો અને તેનું સ્થાન નિશ્ચિત થઈ શક્યું ન હતું. તે જ સમયે, તે હજી પણ આ સિઝનની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યો છે.
શિખર ધવન ક્યારે આપશે તક?
વાસ્તવમાં ચાર વિદેશી ખેલાડીઓને રમવાનો નિયમ સિકંદર રઝા માટે વિલન બની ગયો છે. પંજાબ પાસે જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન અને કગીસો રબાડાના રૂપમાં સ્ટાર ખેલાડીઓ છે. જેના કારણે રઝાની જગ્યા બની રહી નથી. પરંતુ જો આપણે છેલ્લી મેચમાં બેરસ્ટોની ઇનિંગ્સને બાજુ પર રાખીએ તો તે સારા ફોર્મમાં જોવા મળ્યો ન હતો. જ્યારે રઝા ઓપનર તરીકે પણ રમી શકે છે. તે મિડલ ઓર્ડર બેટ્સમેન પણ છે અને ફિનિશ પણ કરી શકે છે. આ બધી બાબતોની સાથે તે એક સારો સ્પિન બોલર પણ છે. પંજાબને કોઈપણ ભોગે ગુજરાત સામે જીતવાની જરૂર છે. આ મેચમાં કેપ્ટન ધવન તેને તક આપી શકે છે.
સિકંદર રઝાના આંકડા પર એક નજર
સિકંદર રઝાએ ગત સિઝનમાં પંજાબ કિંગ્સ માટે માત્ર સાત મેચ રમી હતી પરંતુ તે એક મહત્વપૂર્ણ કડી સાબિત થયો હતો. તેણે એક-બે મેચમાં પણ ટીમને જીત અપાવી હતી. રઝાએ 7 મેચમાં એક ફિફ્ટી સાથે 139 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ લીધી હતી. 57 તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. પરંતુ રઝાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આંકડા શાનદાર છે. તેણે ઝિમ્બાબ્વે માટે 81 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 77 ઇનિંગ્સમાં 1854 રન બનાવ્યા. આ ઉપરાંત તેના નામે 58 વિકેટ પણ નોંધાયેલી છે. તે વિશ્વભરની અન્ય T20 લીગમાં પણ રમે છે અને તેના એકંદર T20 આંકડા જબરદસ્ત છે. રઝાએ 225 T20 મેચમાં 4625 રન બનાવ્યા છે અને 133 વિકેટ પણ લીધી છે.