- IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો
- વાનિન્દુ હસરંગા IPL 2024માંથી થયો બહાર
- સનરાઇઝર્સે તેને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર છે. આ ખેલાડી હજુ સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે સંકળાયેલો નહોતો. આ ખેલાડી વિના ટીમે પોતાની બે મેચ રમી છે. ચાહકોને આશા હતી કે આ ખેલાડી ટીમ સાથે જોડાશે અને ટૂર્નામેન્ટમાં તેને વધુ મજબૂત બનાવશે. પરંતુ હવે આ ખેલાડી IPL 2024માંથી બહાર થઈ ગયો છે.
આ ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર
IPL 2024ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વાનિન્દુ હસરંગાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે, હસરંગા હજુ સુધી આઈપીએલ 2024માં હૈદરાબાદ સાથે સંકળાયેલો નહોતો. જે બાદ હવે સમાચાર સામે આવ્યા છે કે હસરંગા એડીની ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ ખરાબ સમાચાર છે. સિઝનના બીજા તબક્કામાં પીચો ધીમી થવાની ધારણા સાથે, હસરંગા મેચમાં મોટી છાપ છોડી શકે છે. IPL 2024 ની હરાજી પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વાનિંદુ હસરંગાને રિલીઝ કર્યા હતા. જેની હરાજીમાં હસરંગાને સનરાઇઝર્સે તેની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ વર્ષ 2022માં RCBએ હસરંગાને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હસરંગાની વાપસીની હજુ પણ આશા
હસરંગા ડાબા પગની ઘૂંટીની ઈજાના ચેકઅપ માટે 31 માર્ચે વિદેશ જશે. હસરંગાના મેનેજરે કહ્યું કે નિષ્ણાતોની સલાહના આધારે તે IPL ટીમ સાથે જોડાવાનો નિર્ણય લેશે. "તે ચોક્કસપણે સામેલ થશે, તે IPLનો આનંદ માણવા માંગે છે," મેનેજરે ભારપૂર્વક કહ્યું. અમે ફ્રેન્ચાઇઝીના સંપર્કમાં છીએ.”