• MIએ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી
  • રોહિત શર્માને 10 વર્ષના સુકાની કાર્યકાળમાં MIને 5 ટ્રોફી જીતાડી
  • રોહિત શર્માને કેપ્ટનશીપ હટાવવા અંગે MI હેડ કોચનું નિવેદન

IPL 2024 પહેલા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે કે રોહિત શર્મા કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હોવો જોઈએ. સોશિયલ મીડિયા પર ચાહકોએ રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવા પર પોતાનો બધો ગુસ્સો ઠાલવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ પણ નોંધપાત્ર રીતે ઘટવા લાગ્યા હતા. હવે મુંબઈના કોચે પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું છે. મુંબઈના કોચ માર્ક બાઉચરે જણાવ્યું કે તેણે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ કેમ છીનવી લીધી છે.

'બેટિંગમાં પ્રદર્શન સારું નહોતું'

મુંબઈના કોચે કહ્યું કે રોહિત શર્માએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે મુંબઈને 5-5 ટ્રોફી આપી જે મોટી વાત છે. પરંતુ અમે જોઈ શકીએ છીએ કે રોહિત પર કેપ્ટનશિપના બોજને કારણે તે એક ખેલાડી તરીકે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. રોહિત બેટ્સમેન તરીકે ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત, પરંતુ કેપ્ટનશિપના બોજને કારણે તે બેટિંગમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો. આ કારણોસર, અમે તેને કેપ્ટનશીપમાંથી મુક્ત કર્યો છે, જેથી તે બેટ્સમેન તરીકે ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરી શકે.

'તે ક્રિકેટનો નિર્ણય હતો'

મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે કહ્યું કે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે IPLની બંને સિઝનમાં ગુજરાતને ફાઇનલમાં લઈ ગયો હતો અને એક વખત ટ્રોફી પણ જીતી હતી. આવી સ્થિતિમાં અમે ટ્રેડિંગ વિન્ડોનો ફાયદો ઉઠાવ્યો અને હાર્દિકને અમારી ટીમમાં પાછો બોલાવ્યો. કોઈપણ રીતે, હાર્દિક માત્ર મુંબઈનો જ ભાગ રહ્યો છે. ક્રિકેટ ચાહકો આ દૃષ્ટિકોણથી જોતા નથી કે અમે તેને કેપ્ટનશિપથી કેમ દૂર કર્યો. ચાહકો ભાવનાત્મક રીતે વિચારે છે, જ્યારે આ ક્રિકેટનો નિર્ણય છે. આપણે ભાવુક થયા વિના રોહિતની બેટિંગનો આનંદ લેવો જોઈએ.

રોહિત શર્માનું પ્રદર્શન

મુંબઈના કોચે કહ્યું કે રોહિતે IPL 2022માં 120.18ના સ્ટ્રાઈક રેટથી 268 રન બનાવ્યા હતા. આ પછી IPL 2023માં પણ બેટ્સમેન તરીકે તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. 2023માં તેણે 132.80ની સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા હતા. જોકે મુંબઈની ટીમ ક્વોલિફાયરમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં રોહિત પરથી કેપ્ટનશિપનો બોજ હટાવવો ખૂબ જ જરૂરી બની ગયો છે.

  • Follow us on: