• IPLમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે
  • ટીમ બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે
  • ટીમના હેડ કોચને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે

IPLની છેલ્લી ત્રણ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ટીમ બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે એક વખત ટાઇટલ પણ જીત્યું છે. આ દરમિયાન, ટીમના હેડ કોચ આશિષ નેહરાના ભવિષ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષના અંતમાં યોજાનારી મેગા હરાજી પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી શકે છે.

એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇટન્સનું મેનેજમેન્ટ હાલમાં ટીમના કોચિંગ સ્ટાફને બદલવાની વિચારણા કરી રહ્યું છે. આ ટીમના કોચિંગ સ્ટાફમાં ક્રિકેટના ડિરેક્ટર તરીકે વિક્રમ સોલંકી, હેડ કોચ તરીકે આશિષ નેહરા અને માર્ગદર્શક તરીકે ગેરી કર્સ્ટનનો સમાવેશ થાય છે. ગેરી કર્સ્ટન પહેલાથી જ ટીમથી અલગ થઈ ચૂક્યો છે. હાલમાં તે પાકિસ્તાનની મર્યાદિત ઓવરોની ટીમનો કોચ છે.

આશિષ નેહરા ટીમ છોડી શકે છે

અહેવાલો અનુસાર, વિક્રમ સોલંકી અત્યારે પોતાનું પદ બચાવી શકે છે, પરંતુ આશિષ નેહરાના ભવિષ્ય અંગે શંકા છે. IPLની 2024 સીઝન દરમિયાન પણ આશિષ નેહરા લાઈવ ટીવી પર વધુ જોવા મળ્યો ન હતો, જ્યારે 2022 અને 2023 સીઝન દરમિયાન તે ટીમના ખેલાડીઓને સતત ટિપ્સ આપતો હતો.

અદાણી ગ્રુપ ટીમમાં હિસ્સો ખરીદી શકે છે

એક અહેવાલ અનુસાર અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. અદાણી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ટોરેન્ટ ગ્રૂપ અને ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ ટીમનું બજાર મૂલ્ય એક અબજ ડોલરથી દોઢ અબજ ડોલરની વચ્ચે છે. 2021માં, CVCએ 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.


  • Follow us on: