ભારતના ખૂબ જ લોકપ્રિય અમ્પાયર અનિલ ચૌધરીએ ઈન્ટરનેશનલ અને આઈપીએલમાં અમ્પાયરંગમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ જાહેરાત પછી, ચૌધરી IPL 2025માં અમ્પાયરિંગ કરતા જોવા મળશે નહીં. તેમણે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન BCCI દ્વારા યોજાયેલી છેલ્લી મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ મેચમાં વિદર્ભે કેરળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તાજેતરમાં એવું પણ બહાર આવ્યું છે કે ચૌધરી આ વખતે કોમેન્ટેટર તરીકે આઈપીએલમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
એમ્પાયર તરીકે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત V/S ઓસ્ટ્રેલિયાી ODI મેચ હતી, જે 27 સપ્ટેમ્બર 2023 ના રોજ રમાઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમ 66 રનથી વિજયી થઈ હતી. તેમની ઉંમર 60 વર્ષ છે, આ જ તેમની નિવૃત્તિનું કારણ છે. એક મીડિયા રિપોર્ટમાં તેમણે કહ્યું હતુ હવે તેમણે પોતાની અમ્પાયરિંગ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આગામી સિઝનથી તેઓ કોમેન્ટ્રી કરતા જોવા મળશે.













