IPL 2025ની એક મેચના શિડ્યૂલમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આગામી 6 એપ્રિલે યોજાનારી મેચ હવે 8 એપ્રિલે રમાશે. BCCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોલકાતા અને લખનૌ વચ્ચેની IPL 2025ની ૧૯મી મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે બપોરે 3-30 વાગ્યે રમાશે. તેમણે આ ફેરફારનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.













