IPL 2025માં રાજસ્થાન રોયલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. RR ટીમ 14 માંથી ફક્ત 04 મેચ જીતી શકી. પરંતુ 2025 ના અભિયાનમાં, ટીમને એક એવો ખેલાડી મળ્યો છે જે આવનારા સમયમાં રાજસ્થાન માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે.


આ ખેલાડી બીજું કોઈ નહીં પણ 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે. વૈભવ સૂર્યવંશીને આ સિઝનમાં કુલ 7 મેચ રમવાની તક મળી. આ 7 મેચોમાં તેને એક સદી અને એક અડધી સદીની મદદથી 252 રન બનાવ્યા અને પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા.

રાજસ્થાને પોતાની છેલ્લી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી, જ્યાં રાજસ્થાને 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચ પછી, IPL એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વૈભવ સૂર્યવંશી RR ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે IPL 2025 માં રમવાનો અનુભવ શેર કરતા જોવા મળે છે. આ વાતચીતમાં સૂર્યવંશીએ એ પણ જણાવ્યું કે IPL દરમિયાન તેમને પોતાનો મોબાઈલ ફોન કેમ બંધ રાખવો પડ્યો.


વૈભવ સૂર્યવંશીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

CSK Vs RR મેચ પછી, રાહુલ દ્રવિડે વૈભવ સૂર્યવંશીને પૂછ્યું કે IPLની આ સિઝનમાં રમીને તે શું શીખ્યો? આ વાતાવરણમાં અને આટલા મોટા દર્શકોની સામે તે કદાચ પહેલી વાર રમ્યો હશે, તો તેને તેમાંથી શું શીખ્યું? આ સવાલના જવાબમાં, સૂર્યવંશીએ કહ્યું કે તેને એ શીખ્યું કે આટલી મોટી ભીડ સામે રમતી વખતે ધ્યાન કેન્દ્રિત કેવી રીતે રાખવું. તેને શીખ્યું કે તેણે ટીમની જરૂરિયાતો મુજબ રમવું પડશે. તેને પોતાની જાતને તેના મજબૂત ક્ષેત્રમાં રાખવી પડશે અને ટીમ માટે સારું પ્રદર્શન કરવું પડશે.

ગુજરાત સામે સદી ફટકાર્યા બાદ વૈભવને આવ્યા 500 મિસ્ડ કોલ

આ દરમિયાન રાહુલ દ્રવિડે તેને એ પણ પૂછ્યું કે ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકાર્યા પછી કેટલા લોકોએ તેને ફોન કે મેસેજ કર્યા. આનો જવાબ આપતાં સૂર્યવંશીએ કહ્યું કે તે સદી પછી તેના ફોન પર 500 મિસ્ડ કોલ્સ આવ્યા હતા, પરંતુ તેને ફોન બંધ કરી દીધો હતો. સદી પછી ઘણા લોકોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેને તે ગમ્યું નહીં. તેને 2-4 દિવસ સુધી પોતાનો ફોન બંધ રાખ્યો. તે પોતાની આસપાસ આટલા બધા લોકો ઈચ્છતો ન હતો. તે કદાચ ઈચ્છે છે કે ફક્ત તેના પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો તેની આસપાસ રહે.


  • Follow us on: