IPL 2025 મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જે બાદ હવે LSGના માલિકે પંતને આટલી મોટી રકમમાં ખરીદવાનું કારણ આપ્યું છે.
IPL 2025ની મેગા ઓક્શન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માટે ખૂબ જ શાનદાર રહી. IPL ઈતિહાસની સૌથી મોટી બોલી પંત પર લગાવવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સમાંથી મુક્ત થયા બાદ રિષભ પંત હવે લખનૌ સુપર જાયન્ટ્સમાં પ્રવેશી ગયો છે. LSGએ રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જે બાદ હવે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદવાનું કારણ જણાવ્યું છે.
તમે LSGમાં પંતને કેમ ખરીદ્યો?
મેગા ઓક્શન પહેલા પણ રિષભ પંત વિશે એવી અટકળો ચાલી રહી હતી કે આ ખેલાડી આ વખતે હરાજીના તમામ રેકોર્ડ તોડી શકે છે અને અંતે એવું જ થયું. LSGના માલિક સંજીવ ગોયનકાએ પણ પંતને 27 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદવાનું કારણ આપ્યું છે. અહેવાલ મુજબ, સંજીવ ગોયનકાએ કહ્યું, ના, બિલકુલ નહીં. આ કોઈ ગર્વની વાત નથી. અહંકાર નથી. અમે અમારી વ્યૂહરચનાના મુખ્ય ભાગ તરીકે પંતને ધ્યાનમાં રાખીને હરાજીની યોજના બનાવી હતી અને તે મુજબ બજેટ બનાવ્યું હતું.
ઓક્શનનો ઉદ્દેશ્ય સંતુલિત ટીમ બનાવવાનો
સંજીવ ગોયનકાએ વધુમાં કહ્યું કે હરાજીમાં અમારો ઉદ્દેશ્ય સૌથી મોંઘા ખેલાડીને ખરીદવાનો ન હતો, પરંતુ સંતુલિત ટીમ બનાવવાનો હતો. પંત સિવાય ટીમ બે ઝડપી બોલરોને ખરીદવા માંગતી હતી. જેમાં ફ્રેન્ચાઇઝીએ ભુવનેશ્વર કુમારને પણ ખરીદવાનો નિર્ણય લીધો હતો, પરંતુ LSG ભુવીને ખરીદી શકી ન હતી. જે પછી એલએસજી અવેશ ખાન અને આકાશ દીપ તરફ વળ્યું. LSGએ અવેશને 9.75 કરોડ રૂપિયામાં અને આકાશ દીપને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.75 કરોડમાં ખરીદ્યો હતો.
એલએસજીએ 13 ખેલાડીઓ ખરીદ્યા
આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે 13 ખેલાડીઓને ખરીદ્યા છે. જેમાં 6 બેટ્સમેન અને 7 બોલર સામેલ છે. LSGએ 27 કરોડ રૂપિયા ખર્ચીને રિષભ પંતને સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદ્યો છે