ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી સિઝન હાલમાં ભારતમાં રમાઈ રહી છે, જે વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ છે. તે ભારતના વિવિધ શહેરોમાં કુલ 10 ટીમો વચ્ચે આયોજિત થઈ રહ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર આવ્યા છે, મેચ ફિક્સિંગનો પ્રયાસ કરવા બદલ BCCI એ મુંબઈ T20 લીગ ટીમના ભૂતપૂર્વ સહ-માલિક ગુરમીત સિંહ ભમરાહ પર આજીવન પ્રતિબંધ લાદ્યો છે.
અહેવાલો અનુસાર, BCCI લોકપાલ ન્યાયાધીશ અરુણ મિશ્રાએ મુંબઈ T20 લીગ ટીમના ભૂતપૂર્વ સહ-માલિક ગુરમીત સિંહ ભમરાહ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના પર 2019 માં રમાયેલી બીજી આવૃત્તિ દરમિયાન મેચ ફિક્સિંગ માટે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો સંપર્ક કરવાનો આરોપ છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેમણે ભારત માટે ૧૨ વનડે અને ૨ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.













