- આર્યલેન્ડ સીરિઝ માટે બુમરાહની વાપસી શક્ય
- પીઠની સર્જરી બાદ પરત ફરશે બુમરાહ
- ટીમ ઈન્ડિયાનો ખતરનાક ખેલાડી મનાય છે જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમે આ વર્ષે સતત બે મોટી ટૂર્નામેન્ટ રમવાની છે. પ્રથમ એશિયા કપ જે 31 ઓગસ્ટથી શરૂ થશે અને બીજી ICCની સૌથી મોટી ટુર્નામેન્ટ ODI વર્લ્ડ કપ જે વર્ષના અંતમાં રમાશે. આ પહેલા ભારતીય ટીમ અને ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
આ શ્રેણીમાં વાપસી કરશે
ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જેઓ ગત સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની T20I બાદથી એક્શનથી બહાર છે, તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને પુનરાગમન કરવા માટે તૈયાર છે. તે ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે થનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં પુનરાગમન કરતો જોવા મળી શકે છે. બુમરાહ સારી રીતે રિકવરી કરી રહ્યો છે અને જ્યાં સુધી તે મેદાન પર પાછો ફરશે ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં બુમરાહની પીઠની સર્જરી થઈ હતી, ત્યારબાદ તેણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશન પણ કરાવ્યું હતું.

બોર્ડના અધિકારીએ માહિતી આપી હતી
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ બોલરની રિકવરી પર નજર રાખી રહેલા બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું માનવું છે કે આયર્લેન્ડ શ્રેણી માટે બુમરાહની વાપસીના સંકેત ખૂબ જ સકારાત્મક છે. અધિકારીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહ આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી આયર્લેન્ડ શ્રેણી માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સારા સમાચાર છે અને બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ મેચ રમતા જોવા મળશે. જો બધું બરાબર રહ્યું તો બુમરાહ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
બુમરાહ સંપૂર્ણ દેખરેખ હેઠળ છે
અધિકારીએ જણાવ્યું હતું કે, 'નીતિન પટેલ અને રજનીકાંત જેઓ NCAમાં ફિઝિયો છે તેઓ બુમરાહ સાથે નજીકથી જોડાયેલા છે અને NCAમાં રિહેબના સમયગાળા દરમિયાન તેની દેખરેખ રાખી રહ્યા છે. બંને ઘણા અનુભવી છે અને બુમરાહ સાથે કોઈ જોખમ લેવા માંગતા નથી. તેણે આગળ કહ્યું, 'વ્હાઈટ બોલ ક્રિકેટની દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલની નવી આવૃત્તિ પણ શરૂ થઈ ગઈ છે.'