- ભારતીય ટીમનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
- કપિલ દેવે રોહિત શર્માને આપી સાત્વના
- તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો : કપિલ દેવ
વર્લ્ડકપ 2023ની ટ્રોફી ચૂકી ગયા બાદ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને એક સંદેશ મોકલ્યો છે. આ મેસેજમાં તેણે રોહિત શર્માને પોતાનું મનોબળ જાળવી રાખવાની સલાહ આપી છે. તેણે એમ પણ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી ખેલાડીઓએ પોતાનું માથું ગર્વથી ઉંચુ રાખવું જોઈએ.
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની હારના બીજા દિવસે કપિલ દેવે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, 'તમે ચેમ્પિયનની જેમ રમ્યા છો. તમારું માથું ઊંચું રાખીને ચાલો. તમારા મગજમાં એક જ ધ્યેય ટ્રોફી જીતવાનું હતું. પરંતુ કમનસીબે જીતી શક્યા નથી. તેમ છતાં તમે વિજેતા તરીકે ઉભરી આવ્યા છો. ભારતને તમારા પર ગર્વ છે.













