- કરુણની ટ્વિટથી ઘણાં ફેન્સ ભાવુક બન્યા છે.
- નાયરે ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન ફટકાર્યા હતા
- નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 85 મેચમાં 48.94ની સરેરાશથી 5922 રન બનાવ્યા છે
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ટીમમાં ઇજાગ્રસ્ત શમીને સ્થાને જયદેવ ઉનડકટને સામેલ કરાવા પર ઘણાં ખેલાડીઓને ટીમમાં વાપસીની પ્રેરણા મળી છે. ભારત માટે ત્રેવડી સદી ફટકારનાર કરુણ નાયર પણ તેમાંના એક છે. ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનારા આ બેટ્સમેનને હવે કર્ણાટકની રણજી ટીમમાંથી પણ બહાર કઢાયો છે.
નાયરે એક ભાવુક ટ્વિટ કરીને કહ્યું છે કે, ડિયર ક્રિકેટ પ્લીઝ મને એક વધુ તક આપી દો. કરુણની આ ટ્વિટથી ઘણાં ફેન્સ ભાવુક બન્યા છે. સોશિયલ મીડિયા પર નાયર વિશે વાતો થવા લાગી છે. નાયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 85 મેચમાં 48.94ની સરેરાશથી 5922 રન બનાવ્યા છે. જેમાં 15 સદી અને 27 અર્ધસદી સામેલ છે.










