આ દિવસોમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. દરમિયાન ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ નિવૃત્તિ એવા સમયે આવી છે જ્યારે ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સાથે આગામી સિરીઝ રમવાની છે.


આજે મોઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મોઈન અલીને ઓસ્ટ્રેલિયા સાથે વ્હાઈટ બોલ સિરીઝ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. મોઈન બે વખત ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે પરંતુ તે હજુ પણ ટીમ માટે ODI અને T20 ક્રિકેટ રમી રહ્યો હતો.

નિવૃત્તિ પર મોઈને શું કહ્યું?

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા મોઈન અલીએ કહ્યું કે, હું ફરીથી ઈંગ્લેન્ડ માટે રમવાની કોશિશ કરી શક્યો હોત, પરંતુ હવે હું એવું નહીં કરું. નિવૃત્તિ પછી પણ મને નથી લાગતું કે હું સારો નથી, મને લાગે છે કે હું હજુ પણ ઈંગ્લેન્ડ માટે રમી શકીશ. પરંતુ હું ટીમ માટે આગળની બાબતોને સમજું છું, હવે ટીમને બીજા ચક્રમાં વિકસિત થવાની જરૂર છે.

મોઈને પોતાની કારકિર્દી ખતમ કરવાનું કારણ જણાવ્યું

 ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નાસિર હુસૈન સાથે વાત કરતી વખતે મોઈન અલીએ કહ્યું કે ઈંગ્લેન્ડ માટે રમવું તેના જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. પરંતુ હવે તે ટીમને યુવા ખેલાડીઓ સાથે આગળ વધતી જોવા માંગે છે. અલીનું કહેવું છે કે તેણે નિવૃત્તિ એટલા માટે લીધી નથી કારણ કે તે ફિટ નથી, પરંતુ એટલા માટે કે તે ટીમની પ્રગતિ જોવા માંગે છે.

મોઈન અલીની ક્રિકેટ કારકિર્દી

મોઈન અલીએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 68 ટેસ્ટ, 138 ODI અને 92 T20 મેચ રમી છે. 68 ટેસ્ટ મેચોમાં મોઈને બોલિંગ દરમિયાન 204 વિકેટ લીધી હતી અને બેટિંગ દરમિયાન 3094 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે વનડેમાં બેટિંગ દરમિયાન 2355 રન અને બોલિંગમાં 111 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોઈને T20માં 1229 રન અને 51 વિકેટ લીધી હતી.


  • Follow us on: