એશિયા કપ 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ કાઉન્સિલ અને એશિયા કપ ક્રિકેટ મેનેજમેન્ટનો તણાવ ખરા અર્થમાં વધી ગયો છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આમ થવા પાછળનું એક ચોંકાવનારું કારણ આપ્યું છે.


વિરાટ કોહલી અને રોહિત શર્મા કારણ

મળતી માહિતી મુજબ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર સંકટના કાળા વાદળ ઘેરાઈ ગયા છે, કેમકે એશિયા કપ 2025માં આગામી ભારત-પાકિસ્તાન મેચમાં પહેલી વાર ખાલી સ્ટેડિયમ રહેવાની ભીતિ સેવાઇ રહી છે. આ વખતે ક્રિકેટ રસિકોને જાણે ભારત-પાકિસ્તાન મેચમાં કોઈ રસ ન રહ્યો હોય એવો ઘાટ ઘડાયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં ન હોવાને કારણે ચાહકો આ ટુર્નામેન્ટમાં વધુ રસ દાખવી રહ્યા નથી.

આકાશ ચોપરાનું ચોંકાવનારું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા તેમના બેબાક નિવેદન અને અતરંગી શબ્દ પ્રયોગના લીધે ક્રિકેટ જગતમાં ખૂબ જાણીતા છે. 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં ધાર્યા મુજબ ટિકિટો નહીં વહેંચાતા આકાશ ચોપરાએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીના સન્યાસ બાદ ચાહકો ખરા અર્થમાં નિરાશ થયા છે જે કારણે આ મેચની 50 ટકા ટિકિટો પણ હજુ સુધી વેચાઈ નથી.

રૂબરૂ જોવાની તક નહીં મળે

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી સિવાયનું બીજું મુખ્ય કારણ આપતા એ પણ કહ્યું કે એવું પણ નથી કે ટિકિટો ખૂબ મોંઘી છે પરંતુ ક્રિકેટ રસિકો અને રોહિત-વિરાટના ચાહકોને ભાગ્યે જ તેમને રૂબરૂ જોવાની તક મળે છે, તેથી તેમની ગેરહાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજ કારણ છે કે વધારે ચાહકો મેચ જોવા નથી આવી રહ્યા.

  • Follow us on: