T20 વર્લ્ડ કપ મુદ્દે આજે સત્તાવાર રીતે બાંગ્લાદેશ સામે નિર્ણય લેવામાં આવી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતમાં મેચ નહીં રમવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આ મામલે એકશન લેતા મોટી જાહેરાત કરી શકે છે. એવા અહેવાલો છે કે બાંગ્લાદેશના સ્થાને T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને સામેલ કરવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ICC પ્રમુખ જય શાહ તાજેતરમાં દુબઈ સ્થિત મુખ્યાલયમાં પહોંચ્યા બાદ આ અટકળોને વધુ વેગ મળ્યો છે.  જોકે ICC તરફથી આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કરવામાં નથી આવ્યું.


T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશનો ખેલ ખતમ

બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુરના IPL વિવાદ બાદ BCB દ્વારા ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહીં રમવાની ICCને અપીલ કરી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે સુરક્ષાકારણોસર ભારતના બદલે મેચ શ્રીલંકામાં યોજવામાં આવે. જો કે ICC અલ્ટીમેટમ આપતા કહ્યું કે મેચ ભારતમાં જ રમાશે. આ મુદ્દે તેઓ પોતાનો નિર્ણય લઈ શકે છે. જેના બાદ BCBએ 22 જાન્યુઆરીના રોજ ભારતમાં મેચ નહીં રમવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન બાંગ્લાદેશે ICC ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC ની વિવાદ નિવારણ સમિતિ (DRC) ને પત્ર લખીને ભારતમાં T20 વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવાના ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણયને ઉલટાવી દેવાની માંગ કરી હતી.

બાંગ્લાદેશ પર ICC લેશે આજે અંતિમ નિર્ણય

ICCએ બાંગ્લાદેશને લઈને આજે અંતિમ નિર્ણય લેવો પડશે. DRCને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવેલ અપીલ પર ICC કેવા પગલાં લેશે તેને લઈને પણ અટકળો છે. જો બાંગ્લાદેશ  T20 વર્લ્ડ કપ નહીં રમે તો તેની અસર આગામી વર્લ્ડકપ પર અથવા અન્ય સિરીઝ પર પણ થઈ શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.  T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો ખેલ ખતમ થશે તો તેનું સ્થાન સ્કોટલેન્ડ લઈ શકે છે. સ્કોટલેન્ડ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. કારણ કે અગાઉ  2009 માં સ્કોટલેન્ટ T20 વર્લ્ડ કપમાં રમ્યું હતું. તે સમયે, ઝિમ્બાબ્વેએ રમવા માટે ઇંગ્લેન્ડ જવાનો ઇનકાર કર્યા પછી તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. એક અહેવાલમાં જણાવાયું છે કે સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે, અને તેમને શનિવારે પુષ્ટિ મળશે.


આ પણ વાંચો : Arshdeep Singhના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, બે ઓવરમાં આટલા રન આપ્યા

  • Follow us on: