વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIએ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ ગ્રેડ દૂર કરી રહ્યું છે.A+ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી,જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે,અને હવે આ ચારેય ખેલાડીઓને પગારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.BCCIના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ હેઠળ ખેલાડીઓને વાર્ષિક રૂ7 કરોડ મળે છે.પરંતુ આ ગ્રેડ હવે અસ્તિત્વમાં રહેશે નહીં. BCCIહવે ફક્ત ત્રણ શ્રેણીઓ જાળવી રાખશે.
રોહિત અને વિરાટ કોહલીના પગારમાં નોંધપાત્ર ઘટાડો
મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત અને વિરાટ કોહલીના પગારમાં નોંધપાત્ર ઘટાડો થશે.તેમને B ગ્રેડમાં ખસેડવામાં આવશે.હાલમાં B ગ્રેડના ખેલાડીઓ વાર્ષિક રૂ3 કરોડ કમાય છે.આનો અર્થ એ છે કે વિરાટ અને રોહિતને હવે રૂ7 કરોડને બદલે રૂ3 કરોડ મળશે.જાડેજાને પણ B ગ્રેડમાં ખસેડવામાં આવી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહને A ગ્રેડમાં ખસેડવામાં આવી શકે છે. પ્રશ્ન એ છે કે શું BCCI હજુ પણ A-ગ્રેડના ખેલાડીઓને રૂ5 કરોડનો પગાર ચૂકવશે. જો આવું થાય, તો બુમરાહને પણ રૂ2 કરોડનું નુકસાન થઈ શકે છે.













