2027 ODI વર્લ્ડકપની તૈયારીઓ હવે ચાલી રહી છે.જોકે હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે,BCCI ઓછામાં ઓછું બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માંગે છે.ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થાય તેવી અપેક્ષા છે.અફઘાનિસ્તાન સામે 1 ટેસ્ટ અને 3 ODIની સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયામાં કોને સામેલ કરવામાં આવશે તેની વિગતો હજુ અસ્પષ્ટ છે.
આવતા મહિને ભારત-અફઘાનિસ્તાન વચ્ચે મેચ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સિરીઝ આવતા મહિને રમવામાં આવશે.પહેલા એક ટેસ્ટ રમાશે,ત્યારબાદ ત્રણ ODI મેચ રમાશે. જ્યારે વર્તમાન માહિતી એવી છે કે BCCI આજે બંને શ્રેણી માટે ટીમોની જાહેરાત કરશે કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે BCCI ખેલાડીઓની ફિટનેસ અંગે ચિંતિત છે. જો બધા ખેલાડીઓ ફિટ થશે,તો આજે બંને ટીમોની જાહેરાત કરવામાં આવશે.મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાશે. ચર્ચા થશે, અને તે પછી ટીમો જાહેર કરવામાં આવશે. દરમિયાન એક મિડીયાના અહેવાલમાં જણાવાયું છે કે આ બેઠક 2027 ODI વર્લ્ડ કપ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
બેઠકમાં રોહિત અને વિરાટના ભવિષ્ય વિશે થયો ચર્ચા
અહેવાલમાં જણાવાયું છે કે આ બેઠક દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યની પણ ચર્ચા કરવામાં આવશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ રમશે તે લગભગ નિશ્ચિત છે. પરંતુ પસંદગીકારોએ પહેલાથી જ કહ્યું છે કે ફિટનેસના ધોરણો સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ફક્ત રોહિત શર્મા અને વિરાટ કોહલી જ નહીં, રવિન્દ્ર જાડેજા પણ ચર્ચામાં રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીના વર્તમાન પ્રદર્શનને જોતાં, તેની ભાગીદારી નિશ્ચિત છે. પરંતુ રોહિત થોડી મુશ્કેલ પરિસ્થિતિમાં છે.
હાર્દિક પંડ્યાની બોલિંગ શંકાસ્પદ
હાર્દિક પંડ્યા ODIમાં સંપૂર્ણ 10 ઓવર ફેંકી શકશે કે નહીં તે પોતે જ એક પ્રશ્ન છે. આ જ કારણ છે કે પસંદગીકારો બીજા ઓલરાઉન્ડર, નીતિશ કુમાર રેડ્ડીને તક આપવાનું વિચારી રહ્યા છે. અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમ વર્લ્ડ કપ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ ઈન્ડિયાની ટીમ અંગે BCCI શું નિર્ણય લે છે તે જોવાનું બાકી છે.
આ પણ વાંચો - SRH સામે હાર બાદ પણ CSK પ્લેઓફમાં પહોંચી શકે છે,આ રહ્યું સમીકરણ