ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ટીમ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે.આ મેચ 15 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાવાની છે.પરંતુ PCB મેચ છોડી દેવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,PCBના અધ્યક્ષ મોહસીન નકવી અને વડા પ્રધાન શાહબાઝ શરીફ વચ્ચેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાથી નારાજ છે, તેથી જ PCB આવી યુક્તિઓ અપનાવી રહ્યું છે.


શું ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે

જો ભારત-પાકિસ્તાન મેચ રદ કરવામાં આવે છે, તો તેનાથી ICCને નોંધપાત્ર નાણાકીય નુકસાન થશે. T20 વર્લ્ડ કપ ફાઇનલ અને સેમિફાઇનલ મેચ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી મેચ છે. આનાથી ICC અને બ્રોડકાસ્ટર્સને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જો કે, આની પાકિસ્તાન પર પણ આડઅસર થશે, કારણ કે ICC તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.

પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ બહિષ્કારની માંગ કરી

બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદથી, ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ ખાને તો વિરોધમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપનો બહિષ્કાર કરવો જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું. તેમનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં ન રમવાથી ભારત અને ICCને મોટો ફટકો પડશે. હવે, પાકિસ્તાની મીડિયામાં ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાના અહેવાલો આવી રહ્યા છે. શાહબાઝ શરીફ અને મોહસીન નકવી વચ્ચેની મુલાકાત પછી આ સમાચાર અંગે ચોક્કસ માહિતી મળશે.

આ પણ  વાંચો - Harmanpreet Kaurની પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી સામે આવી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- "મારા પિતાને રાષ્ટ્રપતિ ભવનથી ફોન..."

  • Follow us on: