છ વર્ષના વિરામ પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટ ક્રિકેટ પાછું આવ્યું,પરંતુ પરિણામ 2019 જેવું નહોતું.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે ભારતની 30 રનની કારમી હાર બાદ ચારેબાજુ આલોચના થઈ રહી છે. 124 રનનો સામાન્ય લક્ષ્યાંક હોવા છતાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં સમેટાઈ ગઈ. આ શરમજનક પરાજય પર ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રતિક્રિયા આપી છે.ગંભીરે હારનું ઠીકરું પિચ પર ઢોળવાને બદલે સ્પષ્ટપણે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ પિચ પર 124 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી શકાતો હતો, પરંતુ ખેલાડીઓએ ધીરજ ન બતાવી.
હાર પર ગંભીરનું સ્પષ્ટ નિવેદન
દક્ષિણ આફ્રિકાના સ્પિનરો સિમોન હાર્મર અને કેશવ મહારાજ સામે ભારતીય બેટિંગ ધરાશાયી થતાં, 15 વર્ષમાં પહેલીવાર દક્ષિણ આફ્રિકાએ ભારતીય જમીન પર ટેસ્ટ મેચ જીતી છે. આઘાતજનક હાર પર બોલતા કોચ ગૌતમ ગંભીરે પિચનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું, "અમને અહીંના પિચ ક્યુરેટર તરફથી ઘણો ટેકો મળ્યો. અમે આવી જ સ્પિન-ફ્રેન્ડલી પિચ ઈચ્છતા હતા. #TestCricket













