પાંચ મેચની T20I સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થયા બાદ,ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં શાનદાર વિજય મેળવ્યો.આ મેચમાં,યજમાન ટીમના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરી,ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને બરબાદ કરી દીધો.જોકે,આ પ્રભાવશાળી પ્રદર્શન છતાં, હેઝલવુડ સીરિઝની બાકીની ત્રણ મેચોમાં રમશે નહીં. એક મહત્વપૂર્ણ કારણ સામે આવ્યું છે. હેઝલવુડની ગેરહાજરીથી ટીમ ઈન્ડિયાને નોંધપાત્ર રાહત મળી છે.


જોશ હેઝલવુડ બાકીની મેચો કેમ નહીં રમે?

બીજી T20Iમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પાંચ મેચની T20I સીરિઝની બાકીની મેચો રમશે નહીં. નવેમ્બરના અંતમાં શરૂ થનારી એશિઝ ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં રાખીને, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ હેઝલવુડને આરામ આપવાનો નિર્ણય લીધો છે જેથી તે આ કઠિન પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે સંપૂર્ણપણે ફિટ રહે. હેઝલવુડે મેલબોર્નમાં ભારત સામે ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્માએ હેઝલવુડની બોલિંગની પ્રશંસા કરી હતી.

અભિષેક શર્માએ શું કહ્યું?

મેલબોર્નમાં બીજી T20I પછી,અનુભવી બેટ્સમેન અભિષેક શર્માએ હેઝલવુડની ઉત્તમ બોલિંગની પ્રશંસા કરી. જોકે શર્માને ખબર નહોતી કે હેઝલવુડ બાકીની ત્રણ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. મેલબોર્નમાં મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે પૂછવામાં આવતા, અભિષેકે કહ્યું, હવે સીરિઝનો ભાગ નથી, મને ખબર નહોતી! મને પડકારનો આનંદ મળ્યો કારણ કે બેટ્સમેન તરીકે, તમારે શ્રેષ્ઠ બોલરોનો સામનો કરવો પડે છે, અને હું તે કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હેઝલવુડની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની બોલિંગની આકરી કસોટી થશે, કારણ કે ટીમ આ ખાલી જગ્યા ભરવા માટે ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ અથવા સીન એબોટ તરફ વળી શકે છે.


  • Follow us on: