ટીમ ઈન્ડિયાના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. જોકે, હવે એવા સમાચાર છે કે શ્રેયસ ઐયર કેપ્ટનશીપ સંભાળી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જો સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં ન આવે તો ભારતીય પસંદગીકારો શ્રેયસ ઐયરને સંભવિત ભાવિ કેપ્ટન તરીકે ગંભીરતાથી વિચારી રહ્યા છે.
શ્રેયસ ઐયરનું નામ T20 કેપ્ટનશીપની રેસમાં કેમ છે?
IPLમાં કેપ્ટન તરીકેના તેમના મજબૂત રેકોર્ડને કારણે શ્રેયસ ઐયરનું નામ T20 કેપ્ટનશીપની રેસમાં ઉભરી આવ્યું છે.તેમણે કાં તો દરેક ટીમને IPL ટાઇટલ સુધી પહોંચાડી છે અથવા ફાઇનલમાં પહોંચ્યો છે.IPLમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ DC,KKR અને PBKSનો ટ્રેક રેકોર્ડ વાર્તા કહે છે. હાલમાં, ઐયર IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે.શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે તેની 61 ટકા મેચ જીતી ચૂક્યો છે.જીતની ટકાવારીની દ્રષ્ટિએ,તે રોહિત શર્મા અને MS ધોનીથી આગળ છે. આ આંકડાઓએ હવે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

સૂર્યકુમાર યાદવની જગ્યાએ કેપ્ટન?

મીડિયા રિપોર્ટ અનુસાર જો પસંદગીકારો સૂર્યકુમાર યાદવથી આગળ વધવાનો નિર્ણય લે તો શ્રેયસ ઐયર T20 કેપ્ટનશીપ માટે દાવેદાર બની શકે છે. અહેવાલ મુજબ, ઐયર સંભવિત કેપ્ટન તેમજ નંબર 4 પર બેટિંગ વિકલ્પ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઐયર ભારતની વર્તમાન T20 ટીમનો ભાગ નથી. તેમણે છેલ્લે 2023 માં T20I રમી હતી. તેથી, તેમને પાછા લાવવા અને સીધા કેપ્ટન તરીકે નિયુક્ત કરવા એ એક મહત્વપૂર્ણ નિર્ણય હશે.
ઐયરને કેપ્ટન બનાવવાની અફવા કેમ છે?
ટી20 કેપ્ટનશીપનો મુદ્દો ગરમ થઈ રહ્યો હોય તેવું લાગે છે કારણ કે સૂર્યકુમાર યાદવનું બેટ સાથેનું વર્તમાન ફોર્મ ખરાબ છે. તેમણે દરેક મેચમાં સંઘર્ષ કર્યો છે.ટી20 કેપ્ટનશીપ માટે ઋષભ પંત અને શુભમન ગિલના નામો પર સર્વસંમતિનો અભાવ પણ શ્રેયસ ઐયર માટે જવાબદારી સંભાળવાના દરવાજા ખોલે છે.

  • Follow us on: