પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ દિવસોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે.શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો.જેમાં ત્રણઅફઘાન ક્રિકેટરો મોત થયા હતા.ત્યારબાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં યોજાનારી T20 ત્રિકોણીય સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લઈને PCBને ઝટકો આપ્યો હતો.જેમાં PCBએ હવે આ ત્રિકોણીય શ સીરિઝ માટે અફઘાનિસ્તાનની જગ્યાએ ત્રીજી ટીમ શોધી કાઢી છે,જેની PCB એ જાહેરાત કરી છે.


PCBએ ત્રિકોણીય સીરિઝ માટે ત્રીજી ટીમ શોધી કાઢી

પાકિસ્તાન આવતા મહિને T20 ત્રિકોણીય સીરિઝનું આયોજન કરી રહ્યું છે.જે 17 નવેમ્બરથી શરૂ થવાની હતી.આ સીરિઝમાં મૂળ પાકિસ્તાન,શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થવાનો હતો,પરંતુ હવે અફઘાનિસ્તાને સીરિઝમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આ ત્રિકોણીય સીરિઝ માટે ત્રીજી ટીમ શોધી કાઢી છે. અફઘાનિસ્તાન પછી,ઝિમ્બાબ્વે હવે ત્રિકોણીય સીરિઝમાં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે રમશે.

સીરિઝની ફાઇનલ 29 નવેમ્બરે રમાશે

PCB એ જણાવ્યું હતું કે,17 થી 29 નવેમ્બર દરમિયાન રાવલપિંડી અને લાહોરમાં T20 આંતરરાષ્ટ્રીય ત્રિકોણીય શ્રેણીનું આયોજન થઈ રહ્યું છે. PCB એ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને આમંત્રણ આપ્યું હતું,અને ઝિમ્બાબ્વેએ આમંત્રણ સ્વીકાર્યું છે.શ્રીલંકા પણ ભાગ લઈ રહ્યું છે.આ ત્રિકોણીય સીરિઝની પહેલી મેચ 19 નવેમ્બરે યજમાન પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રાવલપિંડીમાં રમાશે.બીજી મેચ શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રાવલપિંડીમાં રમાશે.સીરિઝની બાકીની મેચો,જેમાં ફાઇનલનો સમાવેશ થાય છે, તે પછી લાહોરમાં રમાશે.આ T20 આંતરરાષ્ટ્રીય ત્રિકોણીય સીરિઝની ફાઇનલ 29 નવેમ્બરે રમાશે.


  • Follow us on: