પૂર્વ ભારતીય સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પોતાના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસને લઈને ખુલાસો કર્યો છે.તેણે જણાવ્યું કે,આ નિર્ણય અચાનક નહોતો લેવાયો,પરંતુ એક ખાસ ક્ષણે તેને એવો અનુભવ અપાવ્યો કે,હવે ટીમમાં તેની ભૂમિકા ખતમ થઈ ગઈ છે.વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અશ્વિન ટીમના સિનિયર સ્પિનર તરીકે ઉપસ્થિત હતો,પરંતુ પર્થ ટેસ્ટમાં તેની પહેલા યુવા વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી.આ એ ક્ષણ હતી,જેણે અશ્વિનને અંદરથી હચમચાવી નાખ્યો.અશ્વિને સ્વીકાર્યું કે,એ જ સમયે તેને સમજાઈ ગયું હતું કે,ભારતીય ટેસ્ટ ટીમમાં તેની યાત્રા હવે અંતિમ પડાવ પર છે.સીરિઝ ખતમ થયા પછી તેણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
એક કાર્યક્રમ અશ્વિને કર્યો ખુલાસો
કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન આ અનુભવને શેર કરતા તેણે સ્પષ્ટ કર્યું કે,આ તેનો પોતાનો નિર્ણય હતો. એ સમયે ટીમ મેનેજમેન્ટ પર ઉઠેલા સવાલો અને જબરદસ્તી સંન્યાસ લેવા જેવી ચર્ચાઓનું તેણે સંપૂર્ણ રીતે ખંડન કર્યું છે. તેની જગ્યાએ હેડ કોચ ગૌતમ ગંભીરના સમર્થનમાં અશ્વિને કહ્યું કે, ગંભીર હંમેશા ટીમને કોઈપણ ખેલાડીથી ઉપર રાખે છે અને જીતનું શ્રેય આખી ટીમને આપે છે.













