ભારતીય ક્રિકેટ માટે આજે એક મોટો દિવસ છે.હરમનપ્રીત કૌર અને તેની ટીમ તેમના પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ માટે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.આ દરમિયાન,ભારતીય ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે: ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ બેનિકનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે રમ્યા હતા.રાજેશ બેનિક 40 વર્ષના હતા અને પશ્ચિમ ત્રિપુરાના આનંદનગરમાં તેમનું અવસાન થયું હતું. રાજેશના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. રાજેશ ઇરફાન પઠાણ અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ સાથે રમ્યા હતા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના સચિવ સુબ્રત ડેએ રાજેશ બેનિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ક્રિકેટરનું માર્ગ અકસ્માતમાં અવસાન

મીડિયા અહેવાલોમાં અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે રાજેશ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને અગરતલાની GBP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તે રણજી ટ્રોફીમાં ત્રિપુરા માટે પણ રમ્યો હતો.ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સુબ્રત ડેએ જણાવ્યું હતું કે, "આપણે એક પ્રતિભાશાળી ક્રિકેટર અને અંડર-૧૬ ક્રિકેટ ટીમના પસંદગીકાર ગુમાવ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. અમને આઘાત લાગ્યો છે. તેમના આત્માને શાંતિ મળે. તેઓ આપણા શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક હતા,

છેલ્લે 2018માં ઓડિશા સામે રણજી ટ્રોફી

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનામાં પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને સરળતાથી ઓળખવાની ક્ષમતા હતી. આ જ કારણ છે કે તેમને રાજ્યની અંડર-16ટીમના પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.40વર્ષીય રાજેશ બેનિકે42 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૧,૪૬૯ રન બનાવ્યા અને બે વિકેટ લીધી. તેમણે ૨૪ લિસ્ટ એ મેચ પણ રમી, જેમાં 378રન બનાવ્યા અને આઠ વિકેટ લીધી. તેમણે 18 ટી20 મેચોમાં 203 રન પણ બનાવ્યા. તેમણે છેલ્લે 2018માં ઓડિશા સામે રણજી ટ્રોફી રમી હતી.


  • Follow us on: