ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝના સમાપન પછી હવે ODI સીરિઝનો વારો છે.હાલના સંજોગોમાં આ સીરિઝનું બહુ મહત્વ નથી કારણ કે ODI વર્લ્ડ કપ હજુ ઘણો દૂર છે.અને તમામ ધ્યાન T20 વર્લ્ડ કપ પર છે.પરંતુ કેટલાક ખેલાડીઓ માટે તે અન્ય ખેલાડીઓ કરતાં વધુ મહત્વ ધરાવે છે. મોટાભાગનું ધ્યાન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર છે, કારણ કે તેમની નિવૃત્તિ અંગે અટકળો સતત ચાલુ છે.પરંતુ આ બધા વચ્ચે આ સીરિઝ રિષભ પંત માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આ સીરિઝ કાં તો તેની મર્યાદિત ઓવરની કારકિર્દીને આગળ વધારી શકે છે અથવા અટકાવી શકે છે.
પંત માટે ODI સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ
30 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ ODI સીરિઝમાં ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર વગર રમી રહી છે ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી પછી પંતે ODI ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જોકે આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ફક્ત ODI સીરિઝ રમી હતી,પરંતુ તે ઈજાને કારણે રમી શક્યો ન હતો. તેમ છતાં, આ સીરિઝ પંત માટે મહત્વપૂર્ણ છે.













