પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં ત્રણ યુવા ક્રિકેટરોના મોતથી બધાને આઘાત લાગ્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાન ક્લબના ત્રણ ક્રિકેટરો માર્યા ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો.આ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની T20 સીરિઝમાં રમવાનો ઇનકાર કર્યો હતો.
અધ્યક્ષ હુમલાની નિંદા કરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે અફઘાનિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યું છે, પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે, તેને કાયરતાપૂર્ણ ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યકક્ષે પણ આ ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હુમલાની નિંદા કરી છે.










