રોહિત શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.જોકે,છેલ્લા કેટલાક સમયથી તેની ફિટનેસ સમસ્યાઓ માટે તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ પછી,તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, જ્યારે તે પહેલાથી જ T20I ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો હતો. હવે, તેનું ધ્યાન ફક્ત ODI ક્રિકેટ પર છે, અને તેણે તેની ફિટનેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું,ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન સુધાર્યું.આ પછી તેના બેટે દક્ષિણ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું.હવે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને, તેણે કેક ખાવાનો ઇનકાર કર્યો.

જયસ્વાલે કોહલીને કેક ખવડાવી

ત્રીજી મેચ પછી, હોટલમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી,જ્યાં યશસ્વી જયસ્વાલ કેક કાપતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, જયસ્વાલ કેક કાપીને વિરાટ કોહલીને ખવડાવતો જોવા મળે છે. પછી તે થોડી કેક લે છે અને રોહિત શર્માને આપે છે, જે તરત જ તે ખાવાનો ઇનકાર કરે છે અને કહે છે,"હું ફરીથી જાડો થઈ જઈશ.મને તે નથી જોઈતું,ભાઈ."ત્યાં હાજર બધા ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં બે અડધી સદી ફટકારી 

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં 57 રન બનાવ્યા હતા.ત્યારબાદ તેણે બીજી વનડેમાં 14 રન બનાવ્યા હતા.બાદમાં તે ત્રીજી વનડેમાં સંપૂર્ણ ફોર્મમાં હતો.તેણે 45 બોલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.તેણે આખી સીરિઝમાં કુલ 146 રન બનાવ્યા હતા.

કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો 

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી વનડેમાં નવ વિકેટથી શાનદાર જીત મેળવીનેસીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. યશસ્વી જયસ્વાલે ત્રીજી વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 121 બોલમાં કુલ 116 રન બનાવ્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી હતી, જે વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોહલીએ આખી શ્રેણીમાં કુલ ૩૦૨ રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેને તેના સારા પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો.

આ પણ  વાંચો-Virat Kohli statement : સિરીઝ જીત્યા પછી વિરાટ કોહલીનું મોટું નિવેદન, કહી આ વાત