વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગ ચાહકોએ ખૂબ જ માણી હતી.બંનેએ 24 ડિસેમ્બરે પોતાની પહેલી મેચમાં સદી ફટકારી હતી.બીજી મેચમાં વિરાટે 77 રન બનાવ્યા હતા,પરંતુ રોહિત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.હવે,પ્રશ્ન એ છે કે શું રોહિત અને વિરાટ ફરીથી વિજય હજારે ટ્રોફીની આગામી મેચમાં જોવા મળશે કારણ કે આ ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી સુધી ચાલવાની છે.

વિરાટ ત્રીજી મેચ માટે તૈયાર છે!

મોડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્માની જેમ વિરાટ કોહલી પણ મૂળ વિજય હજારે ટ્રોફીમાં ફક્ત બે મેચ રમવાનો હતો. જો કે, તે હવે 6 જાન્યુઆરીએ રેલવે સામેની મેચમાં રમતા જોવા મળી શકે છે. અહેવાલ મુજબ, વિરાટ હાલ માટે બેંગલુરુ છોડી ચૂક્યો છે, પરંતુ તેની વાપસીની આશાઓ યથાવત છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીના કપડાં અને સામાન હજુ પણ દિલ્હી ટીમ પાસે છે. વિરાટ કોહલી 6 જાન્યુઆરીએ દિલ્હી ટીમ માટે રમશે કે નહીં તે ભારતીય ટીમના તાલીમ શિબિર પર નિર્ભર રહેશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે. વિરાટે અત્યાર સુધીમાં વિજય હજારે ટ્રોફી 2025-26 ની બે મેચમાં 208 રન બનાવ્યા છે.

રોહિત શર્મા વિશે શું અપડેટ છે?

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રોહિત શર્મા વિજય હજારે ટ્રોફી 2025-26 માં ફરી જોવા મળશે નહીં. ઉત્તરાખંડ સામેની મેચ પછી તે ઘરે ગયો છે. રોહિતે આસામ સામેની મેચમાં 155 રન બનાવ્યા હતા, પરંતુ ઉત્તરાખંડ સામે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. અહેવાલો અનુસાર, રોહિત ઘરે પાછો ફર્યો છે, અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ટૂંક સમયમાં તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી શકે છે. મુંબઈની આગામી મેચ 29 ડિસેમ્બરે છત્તીસગઢ સામે છે.


  • Follow us on: