• લાહોર, કરાંચી અને રાવલપિંડીને કર્યા પસંદ
  • પાકિસ્તાનમાં થનારી મેચનું શિડ્યુલ કરાયું નક્કીઃ નકવી
  • ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાનઃ રિપોર્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની અધ્યક્ષતા સતત ચર્ચા બની રહી છે. ટૂર્નામેન્ટની અધ્યક્ષતા પાકિસ્તાનની પાસે છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીને માટે શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની મુલાકાત લેશે? પણ હવે સવાલ એ છે કે હાલમાં સામે આવેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીને માટે પાકિસ્તાન નહીં જાય. આ સમયે પાકિસ્તાનના ટૂર્નામેન્ટના આયોજન માટે 3 શહેરોના નામ જાહેર કર્યા છે.

કયા શહેરોની કરાઈ છે પસંદગી

ચેમ્પિયન ટ્રોફઈને માટે પાકિસ્તાનના લાહોર, કરાંચી અને રાવલપિંડીને પસંદ કરવામાં આવ્યું છે. પીસીબી અધ્યક્ષે કહ્યું અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં થનારી મેચનું શિડ્યુલ મોકલી દીધું છે. આઈસીસીની સિક્યોરિટી ટીમ આવી હતી અને અમારી સારી મીટિંગ પણ થઈ હતી. તેઓએ અહીની વ્યવસ્થા જોઈ છે અને સાથે સ્ટેડિયમ અપડેટનો પ્લાન પણ તેઓ શેયર કરશે. અમે સતત આઈસીસીની સાથે સંપર્કમાં છીએ. અમે વાત કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે અમે સારી ટૂર્નામેન્ટ હોસ્ટ કરીએ.

શું ટીમ ઈન્ડિયા જશે પાકિસ્તાન?

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સવાલ ચર્ચામાં છે કે શું ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે? કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 2023માં રમાયેલા એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમી હતી. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરે છે કે પછી આ વખતે પણ હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવે છે.

  • Follow us on: