પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને BCCIએ ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી 1996 પછી પહેલીવાર ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું પડોશી દેશનું સ્વપ્ન અધૂરું રહી શકે છે. BCCIએ 8 ટીમોની ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય લીધા બાદ PCB હાલમાં લાચાર જણાય છે.


પાકિસ્તાનને ECBનું સમર્થન મળ્યું

પાકિસ્તાને આ માટે ICCનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું સમર્થન મળ્યું છે. જોકે, આમ કરવાથી ECB અને BCCI વચ્ચે ખટાશ ઊભી થઈ શકે છે. PCBના વડા મોહસિન નકવી અને ચેરમેન સલમાન નસીરે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિશે વાત કરવા લંડનમાં ECB અધ્યક્ષ રિચર્ડ થોમ્પસન સાથે મુલાકાત કરી હતી.


પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે તૈયાર - નકવી

PCBના જણાવ્યા અનુસાર, આ બેઠક ઘણી અર્થપૂર્ણ હતી અને તેઓએ થોમ્પસનના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈંગ્લેન્ડનો તાજેતરનો પાકિસ્તાન પ્રવાસ ઘણો પ્રભાવશાળી હતો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અમારી શુભકામનાઓ પાકિસ્તાન સાથે છે. નકવીએ થોમ્પસનને કહ્યું, ‘પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે તૈયાર છે. સ્ટેડિયમોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે દરેક સ્તરે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુલાકાતી ટીમોને સ્ટેટ ગેસ્ટ પ્રોટોકોલ આપવામાં આવશે.

BCCIS ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો

PCBએ શુક્રવારે ટ્રોફી ટૂર શેડ્યૂલ જાહેર કર્યું જેમાં PoKમાં સ્થિત સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ શહેરોનો સમાવેશ થાય છે. BCCIએ શિડ્યુલ સામે સખત વાંધો લીધો હતો અને PCBના શહેરોના પ્રવાસની યોજનાની ટીકા કરી હતી. રિપોર્ટ અનુસાર, PCBએ શેડ્યૂલની જાહેરાત કરતા પહેલા ICC સહિત તમામ હિતધારકોની સલાહ લીધી ન હતી. BCCIની ટીકા બાદ ICCએ PCBને PoK શહેરોનો પ્રવાસ રદ્દ કરવા કહ્યું, જેના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.


  • Follow us on: