• પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી
  • જે બાદ વિનેશ ફોગટે કુસ્તીની રમતમાંથી સંન્યાસ લઈ લીધો હતો
  • વિનેશ ફોગાટે પોસ્ટ કરીને તેણે પોતાના સંઘર્ષની કહાની વર્ણવી છે

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં તેના જોરદાર પ્રદર્શનને કારણે વિશ્વભરના રમતપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. વિનેશ ફોગાટ કુસ્તીની સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર હતી. તે ફાઈનલ મેચ રમીને ઈતિહાસ રચે તે પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ વિનેશ ફોગટે કુસ્તીની રમતમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ ઘટના બાદ તે આજે ભારત પરત ફરી છે, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પરંતુ, ભારત પરત ફરતા પહેલા જ તેના જીજા અને તેની બહેને તેની પર કટાક્ષ કર્યો હતો.

વિનેશ ફોગાટે કરી ઈમોશનલ પોસ્ટ

વિનેશ ફોગાટે ભારત પરત ફરતા પહેલા સોશિયલ મીડિયા પર 3 પેજની પોસ્ટ કરી છે. આમાં તેણે પોતાના સંઘર્ષની કહાની વર્ણવી છે. વિનેશ ફોગાટે આ પોસ્ટમાં એવા લોકોના નામ પણ જણાવ્યા છે જેઓ મુશ્કેલ સમયમાં તેની સાથે રહ્યા છે. જોકે, વિનેશ ફોગટે તેના કાકા મહાવીર ફોગટનું નામ તેમાં ક્યાંય લખ્યું નથી. મહાવીર ફોગટ વિનેશ ફોગટના બાળપણના કોચ હોવાનું પણ કહેવાય છે. વિનેશ ફોગાટે પોતાની પોસ્ટમાં કાકાના નામનો ઉલ્લેખ ન કરવા બદલ વિનેશ પર નિશાન સાધ્યું છે.

મહાવીર ફોગાટ વિનેશના સમર્થનમાં બહાર આવ્યા હતા

જ્યારે વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિક-2024માંથી અયોગ્ય ઠેરવવામાં આવી ત્યારે મહાવીર ફોગાટે નિયમોને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેણે એવી આશા પણ વ્યક્ત કરી કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) વિનેશની તરફેણમાં નિર્ણય આપશે. વિનેશ ફોગાટની અપીલ CAS દ્વારા નકારી કાઢવામાં આવી ત્યારે પણ મહાવીર ફોગાટ ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું હતું કે જો વિનેશ ફોગાટ ભારત પરત ફરશે તો તેનું ગોલ્ડ મેડલ વિજેતાની જેમ સ્વાગત કરવામાં આવશે.

પવન સરોહાએ આપી આકરી પ્રતિક્રિયા

વિનેશ ફોગટના જીજા અને ગીતા ફોગટના પતિ પવન સરોહાએ વિનેશ ફોગટની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'વિનેશ, તેં બહુ સારું લખ્યું છે પણ કદાચ આજે તું તારા કાકા મહાવીર ફોગાટને ભૂલી ગઈ છે. જેમણે તમારી કુસ્તીની કારકિર્દી શરૂ કરી, ભગવાન તમને શુદ્ધ બુદ્ધિ આપે.

બહેને પણ ટોણો માર્યો

વિનેશ ફોગટે પોતાની પોસ્ટમાં મહાવીર ફોગટનું નામ નથી લખ્યું તો તેની બહેન ગીતા ફોગટે પણ ટોણો માર્યો હતો. ગીતા ફોગાટે સોશિયલ મીડિયા પર લખ્યું કે 'છેતરપિંડી એ કાર્યોનું પરિણામ છે', આજે નહીં તો કાલે ગીતા ફોગાટે આ પોસ્ટમાં વિનેશ ફોગટનું નામ નથી લીધું, પરંતુ તેની પોસ્ટ ફક્ત વિનેશ ફોગાટ સાથે જોડાયેલી છે.

  • Follow us on: