- ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે કોહલી અને તેંડુલકર વચ્ચે સમાનતાઓ દર્શાવી
- વિરાટ કોહલીએ તાજેતરના એશિયા કપમાં કર્યું શાનદાર પ્રદર્શન
- કોહલીએ પાકિસ્તાન સામે 122 રનની અણનમ ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા
ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે કોહલી અને તેંડુલકર વચ્ચે કેટલીક સમાનતાઓ દર્શાવી હતી. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરના એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોહલીએ પાકિસ્તાન સામે 122 રનની અણનમ ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જ્યારે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં તે વોટરબોય તરીકે જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટનની અનોખી સ્ટાઈલ જોઈને ચાહકો ખુશ થઈ ગયા. કોહલી વિશ્વસ્તરીય બેટ્સમેન અને ઉત્તમ ફિલ્ડર છે. તે સૌથી વધુ ODI સદી ફટકારવાની બાબતમાં ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી રહ્યો છે. કોહલી તેનાથી માત્ર 3 સદી પાછળ છે.
વિરાટ કોહલીએ એશિયા કપમાં કર્યું શાનદાર પ્રદર્શન
દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે કોહલી અને તેંડુલકર વચ્ચે કેટલીક સમાનતાઓ દર્શાવી હતી. માંજરેકરે વિરાટ વિશે કહ્યું મોટી વાત. તેણે કહ્યું- “વિરાટ કોહલી અને સચિન તેંડુલકર વચ્ચે એક સમાનતા એ છે કે બંને શક્ય તેટલું મેદાન પર આવવા માંગે છે. કોહલી બાંગ્લાદેશ સામેની ટીમનો ભાગ ન હોવા છતાં પણ તે મેદાનમાં હતો. વિચારો, વિરાટ કોહલીને સત્તા જોઈએ છે કે નેતૃત્વ? તે માત્ર રમવા માંગે છે. માંજરેકરે વધુમાં કહ્યું- તે ટીમનો ભાગ બનીને આનંદ માણી રહ્યો છે. તેણે લાંબા સમય સુધી ટીમનું સુકાન સંભાળ્યું, તેથી મને નથી લાગતું કે અધૂરા સપનાનો કોઈ અવકાશ છે. ટીમ સાથે રહેવું, ખેલાડીઓ સાથે મુસાફરી કરવી અને જીતની પળોનો ભાગ બનવું તેના માટે સત્તા કરતાં વધુ મહત્વનું છે.
સચિનથી આગળ નીકળવું મુશ્કેલ
માંજરેકરે વધુમાં કહ્યું કે ટેસ્ટ સદીના મામલે કોહલી માટે સચિન તેંડુલકરને પાછળ છોડવું મુશ્કેલ હશે કારણ કે તેંડુલકરના નામે 51 સદી છે જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધી માત્ર 29 સદી ફટકારી છે. તેણે કહ્યું- એક સારા ખેલાડી માટે ODIમાં રન બનાવવું થોડું સરળ હોય છે કારણ કે બોલરો હંમેશા વિકેટ લેવાનો પ્રયાસ કરતા નથી. તેંડુલકર અને કોહલી ખાસ છે. જોકે, મારું માનવું છે કે કોહલી માટે 51 ટેસ્ટ સદી સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હશે. ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટકરાશે.