મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતીય ટીમે બંને વિભાગમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમને તેના અભિયાનની શરૂઆત હાર સાથે કરવી પડી હતી. આ મેચમાં હરમનપ્રીત કૌર અને અમ્પાયર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. હવે આર અશ્વિને પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરંતુ તેને થોડા સમય બાદ તેની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
આર અશ્વિનની પ્રતિક્રિયા
કિવી ખેલાડી કેરે પ્રથમ ઈનિંગ્સની 14મી ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લેવાનો પ્રયાસ કર્યો હતો. હરમનપ્રીતને લાગ્યું કે કિવી ખેલાડી માત્ર એક રન લેશે. પરંતુ તેણે બે રન લીધા હતા. આ પછી હરમને બોલ વિકેટકીપર તરફ ફેંક્યો અને તે પણ રનઆઉટ થયો. પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. ખરેખર, ઓવરના અંતે, દીપ્તિ શર્માએ તરત જ અમ્પાયર પાસેથી તેની શર્ટ પાછી લઈ લીધી અને તેના કારણે અમ્પાયરે કિવી ખેલાડીને નોટઆઉટ આપ્યો. જે બાદ હરમન અને અમ્પાયરે લાંબા સમય સુધી દલીલો કરી. ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર આર અશ્વિને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેને સોશિયલ મીડિયા પર લખ્યું કે 'બીજો રન શરૂ થાય તે પહેલા જ ઓવર સમાપ્ત થઈ ગઈ હતી. ખરેખર દોષ કોનો છે? પરંતુ અશ્વિને થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

હરમનપ્રીત કૌરે હાર બાદ આપ્યું નિવેદન
હરમનપ્રીતે ન્યૂઝીલેન્ડ સામે ભૂલો સ્વીકારી. હારનો સ્વીકાર કરતાં તેણે કહ્યું કે આજે અમે સારું રમ્યા નથી. આપણે જોવાનું છે કે આપણે કયા ક્ષેત્રોમાં સુધારો કરી શકીએ છીએ. અમે આ મેચમાં તકો ઉભી કરી છે. પરંતુ તે અમારા કરતા વધુ સારું ક્રિકેટ રમ્યા હતા. અમે ઘણી વખત 160-170 રનનો પીછો કર્યો છે. પરંતુ આ પીચ પર 10-15 રન વધુ હતા.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પહેલી જ મેચમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો.