• T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ
  • પાક. દિગ્ગજ ક્રિકેટરે આપ્યું નિવેદન
  • પાક. ક્રિકેટ ટીમ માટે કહી આવી વાત

T20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ માટે તમામ ટીમો તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને ટ્રેનિંગ કેમ્પનો ભાગ છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા હાલમાં અન્ય દેશોમાંથી સીરીઝ રમી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે પહેલા પાકિસ્તાનને અંડરડોગ માનવામાં આવતું હતું પરંતુ હવે ભારતે તેને સન્માન આપવાનું શરૂ કર્યું છે.

23 ઓક્ટોબરે રોમાંચ તેની ટોચ પર હશે

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે ત્યારે ચાહકોમાં ઉત્સાહ જોવા મળે છે. આ વખતે મંચ ટી-20 વર્લ્ડ કપનો હશે તો ઉત્તેજના ચોક્કસપણે ચરમસીમા પર હશે. ભારત અને પાકિસ્તાન બંને 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપ-2022ની પોતપોતાની પ્રથમ મેચમાં એકબીજાની સામે ટકરાશે. ગત વર્ષે આ જ ફોર્મેટના વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાને 10 વિકેટથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા ઉતરશે.

'ભારતીય ટીમે પણ માન આપવાનું શરૂ કર્યું'

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું છે કે અગાઉ તેમની ટીમને વર્લ્ડ કપમાં અંડરડોગ માનવામાં આવતી હતી. તેમણે કહ્યું, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એક માનસિક યુદ્ધ છે, જે જીતવી સરળ વાત નથી. પાકિસ્તાન પહેલા વર્લ્ડ કપમાં અંડરડોગ માનવામાં આવતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. હવે ટીમ ઈન્ડિયા પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમને માન આપવા લાગી છે.

ભારત પાસે ઓછા સંસાધનો છે

પોતાની કારકિર્દીમાં 250થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા 60 વર્ષીય રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાની ટીમ સતત સારી થઈ રહી છે. તેણે કહ્યું, 'પાકિસ્તાનને ક્રેડિટ મળવી જોઈએ. અમે એક અબજ ડોલરની ક્રિકેટ ટીમને હરાવીને સતત સારું કરી રહ્યા છીએ. અમારી પાસે ભારત કરતાં ઓછા સંસાધનો છે, છતાં અમે તેમને હરાવી રહ્યા છીએ.

  • Follow us on: