• પંતે 58 ટી20માં માત્ર 934 રન જ બનાવ્યા છે

  • રોહિતે નંબર-4 પર બેટિંગ કરવી જોઈએ
  • ભારતની પ્લેઇંગ-11 શું હશે તેના પર સૌવની નજર

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને હવે દરેક આ ટૂર્નામેન્ટમાં યોજાનારી ભારતની રણનીતિ વિશે વાત કરી રહ્યા છે. સૌથી મોટી ચિંતા વિકેટકીપર રિષભ પંતનું પ્રદર્શન છે, જે T20 ફોર્મેટમાં પ્રશંસનીય નથી. આવી સ્થિતિમાં ઋષભ પંતને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળે છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે એક નવી ફોર્મ્યુલા જણાવી છે, તેમનું કહેવું છે કે ઋષભ પંત T20 ફોર્મેટમાં ઓપનિંગ કરી શકે છે અને રોહિત શર્મા પોતે નંબર-4 પર આવી શકે છે.

રોહિતે નંબર-4 પર બેટિંગ કરવી જોઈએ

વસીમ જાફરે લખ્યું, 'મને લાગે છે કે, T20માં રિષભ પંત માટે ઓપનિંગ શ્રેષ્ઠ જગ્યા છે. કારણ કે રોહિત શર્મા નંબર ચાર પર બેટિંગ કરી શકે છે.2013માં એમએસ ધોનીએ રોહિતને ઓપનર બનાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે રોહિતે પણ એ જ કરવું પડશે. કે.એલ, પંત, કોહલી, રોહિત, સૂર્યા મારા ટોપ-5 બેટર હશે.

ભારતની પ્લેઇંગ-11 શું હશે તેના પર સૌવની નજર

ઋષભ પંતનું ટી20માં પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. તે નંબર-4 અથવા નંબર-5 પર બેટિંગ કરવા માટે આવે છે. અત્યાર સુધી તેણે 58 ટી20 મેચમાં માત્ર 934 રન જ બનાવ્યા છે. ટેસ્ટમાં સુપરહિટ છે, પરંતુ T20માં તે ફ્લોપ સાબિત થયો છે. રિષભ પંત પ્લેઇંગ-11માં સ્થાન મેળવી શકશે કે કેમ તે અંગે હજુ પણ શંકા રહેલી છે.


  • Follow us on: