• રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવાયો
  • રોહિતના ફેન્સ પણ ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ખૂબ નારાજ હતા
  • રિતિકાએ MIના કોચ માર્ક બાઉચર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. જે બાદ હવે રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચર પર ગુસ્સે થતી જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદ પરથી રોહિત શર્માને હટાવવાના નિર્ણયથી રિતિકા ઘણી નારાજ છે. હકીકતમાં, IPL 2024ની હરાજી પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ગુજરાત ટાઇટન્સ તરફથી મુંબઈ પરત ફરેલા હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ફેન્સ પણ થયા હતા નારાજ

રોહિતના ફેન્સ પણ ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ખૂબ નારાજ હતા. જે બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ઘણા ફેન્સે મુંબઈ ઈન્ડિયન્સને સોશિયલ મીડિયા પરથી અનફોલો પણ કરી દીધું હતું. બીજી તરફ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવતા ચાહકોમાં ભારે નારાજગી હતી. જે બાદ હાર્દિક પંડ્યા પણ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સના કોચ પર ભડકી રોહિતની પત્ની રિતિકા

વાસ્તવમાં, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીથી હટાવવા પર બધાને આશ્ચર્ય થયું હતું, જેના કારણે ફેન્સમાં ઘણો ગુસ્સો હતો. આટલું જ નહીં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ આ નિર્ણયથી ખૂબ નારાજ છે. જે બાદ હવે તેણે મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુ દરમિયાન માર્ક બાઉચરે કહ્યું હતું કે આ માત્ર ક્રિકેટનો નિર્ણય હતો. અમે બારી તરફ જોયું અને હાર્દિક પંડ્યાને ટીમમાં પાછા લાવવા વિશે વિચાર્યું. રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે અને હવે રોહિત મેદાન પર શાનદાર પ્રદર્શન કરવા પર ધ્યાન આપી શકે છે.

વીડિયો થયો વાયરલ

જે બાદ આ ઈન્ટરવ્યુની કેટલીક ક્લિપ્સ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો પર ટિપ્પણી કરતા લખ્યું કે તેમાં ઘણું ખોટું છે. મતલબ કે માર્ક બાઉચર પોતાના ઈન્ટરવ્યુમાં રોહિત શર્મા વિશે જે પણ વાત કરી રહ્યા છે, રિતિકાએ તેને ખોટું ગણાવ્યું છે. જોકે, રિતિકાની કોમેન્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી અને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.


બેટ્સમેન તરીકે રમશે રોહિત

હવે રોહિત શર્મા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન તરીકે નહીં પરંતુ બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળતો જોવા મળશે. હાલમાં, રોહિત શર્મા ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજા થયા બાદ પોતાને ફિટ રાખી રહ્યો છે. હવે હાર્દિક પંડ્યા IPL 2024માં જ વાપસી કરી શકશે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2024 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિક ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ રહ્યો છે.

  • Follow us on: