• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો
  • ભારતે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું
  • ભારતની શાનદાર જીત બાદ સચિને બુમરાહની પ્રશંસા કરી

ભારતીય ટીમે કેપટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તે જ સમયે, સેન્ચુરિયનમાં, સાઉથ આફ્રિકાને પ્રથમ વખત એશિયન ટીમ દ્વારા ટેસ્ટ મેચમાં પરાજય મળ્યો હતો. ભારતીય ટીમની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે બીજી ઇનિંગમાં 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જો કે, ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેણે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પણ પ્રશંસા કરી હતી. 

સચિને બુમરાહની પ્રશંસા કરી

ભારતીય ટીમની જીત બાદ સચિન તેંડુલકરે X પર પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં માસ્ટર બ્લાસ્ટરે લખ્યું- ટીમ ઈન્ડિયાને સિરીઝ બરાબર કરવા બદલ અભિનંદન. પરંતુ એડન માર્કરામે અદ્ભુત બેટિંગનું પ્રદર્શન કર્યું, કારણ કે કેટલીકવાર આવી પિચ પર ડિફેન્સ કરવા કરતા આક્રમક રીતે રમવું શ્રેષ્ઠ વિકલ્પ છે. જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી. બુમરાહે બતાવ્યું કે, આવી વિકેટ પર કઈ લાઈન અને લેન્થ બોલિંગ કરવી જોઈએ.

કેપટાઉનમાં મેચની સ્થિતિ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી. આ પછી ભારતીય ટીમે પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાને 98 રનની લીડ મળી હતી. સાઉથ આફ્રિકા બીજા દાવમાં 176 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ વખતે જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. જોકે, ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને 2 ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી પૂર્ણ કરી હતી. છેલ્લી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ મહોમ્મદ સિરાજને આપવામાં આવ્યો હતો. જ્યારે પ્લેયર ઓફ ધ સિરીઝ માટે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર અને જસપ્રિત બુમરાહને પસંદ કરવામાં આવ્યા હતા.

  • Follow us on: