- IPL પછી ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 રમશે
- કાર્તિક RCB માટે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યો છે
- પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર વિચાર કરી શકે છે
IPL 2024માં પ્રથમ તબક્કાની અડધાથી વધુ મેચો રમાઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ઘણા ખેલાડીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનથી BCCI પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. IPL પછી ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 રમવાનું છે,જે આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.બીજી તરફ BCCI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ખૂબ જ જલ્દી કરી શકે છે.આઈપીએલમાં એક એવો ખેલાડી છે જે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી શકે છે.આ ખેલાડી દરેક મેચમાં પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી રહ્યો છે.
આ ખેલાડી વિકેટકીપર અને ફિનિશર છે
RCBનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2024માં ખૂબ જ ખતરનાક બેટિંગ કરી રહ્યો છે. કાર્તિક દરેક મેચમાં RCB માટે ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યો છે. RCB સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ હારી ગયું હોવા છતાં દિનેશ કાર્તિકે પોતાની વિસ્ફોટક બેટિંગથી લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. આ મેચમાં કાર્તિકે માત્ર 35 બોલમાં 83 રનની તોફાની ઇનિંગ રમી હતી.પોતાની ઇનિંગ દરમિયાન દિનેશે 5 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી.આમાંથી એક સિક્સ કાર્તિકે મારી હતી જે 108 મીટર લાંબી હતી, જે આ IPL સિઝનમાં અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે.
પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર વિચાર કરી શકે છે
IPL 2024માં જે રીતે દિનેશ કાર્તિક શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેને લઈને T20 વર્લ્ડ કપ 2024 માટે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ પણ ઉઠવા લાગી છે. ઘણા ચાહકોનું માનવું છે કે દિનેશ કાર્તિકને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ.તે 39 વર્ષનો હોવા છતાં તેની પાસે ઘણો અનુભવ છે,જે IPL 2024માં દરેકને દેખાય છે.વિકેટકીપિંગ હોય કે બેટિંગ,કાર્તિક બંનેમાં પરફેક્ટ છે.જે બાદ હવે BCCI પસંદગીકારો દિનેશ કાર્તિકના નામ પર પણ વિચાર કરી શકે છે.
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી માટેના નામ પણ થઈ ચૂક્યા છે નક્કી
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા IPL 2024માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. જેના કારણે રોહિતે T20 વર્લ્ડ કપ માટે ધૂમ મચાવી દીધી છે. ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને અત્યાર સુધી માત્ર 2 જ જીત મળી હોય, પરંતુ રોહિતે પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. રોહિતે સાબિત કર્યું કે તે પણ T20 વર્લ્ડ કપ 2024 માટે શા માટે ખાસ છે. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર સદી ફટકારી હતી, જો કે ટીમ મેચ જીતી શકી ન હતી પરંતુ રોહિતે ફેન્સનું દિલ ચોક્કસ જીતી લીધું હતું. આ સિવાય મુંબઈનો અન્ય ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પ્રથમ મેચને બાજુ પર રાખીને ઈશાન ત્યારથી જ તોફાની બેટિંગ કરી રહ્યો છે.