ટી20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાના કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે, ગત 4 ફેબ્રુઆરીએ નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વોર્મ-અપ મેચ દરમિયાન હર્ષિતને ગંભીર ઈજા થઈ હતી. મેડિકલ ટીમના સ્કેન અને નિષ્ણાતોની સલાહ બાદ તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. હર્ષિત રાણાની વિદાય ભારતીય ટીમ માટે મોટો ઝટકો મનાય છે કારણ કે તે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં હતો.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ












