• રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે
  • ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આયરલેન્ડ સામે ઈતિહાસ રચવા માટે તૈયાર 
  • T20 વર્લ્ડ કપ 2024 રોહિત શર્મા માટે નવમો T20 વર્લ્ડ કપ હશે

T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. ભારત અને આયર્લેન્ડની ટીમો 5 જૂને સામસામે ટકરાશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આયરલેન્ડ સામે ઈતિહાસ રચવા માટે તૈયાર છે. હકીકતમાં રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં નવમી વખત ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોવા મળશે. આ સિવાય આ ટૂર્નામેન્ટની નવમી એડિશન છે. અત્યાર સુધી રોહિત શર્મા તમામ T20 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે.

રોહિત શર્મા રચશે ઈતિહાસ

2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમાયો હતો. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2007 જીત્યો હતો. રોહિત શર્મા તે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ત્યાર બાદ રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2009, T20 વર્લ્ડ કપ 2010, T20 વર્લ્ડ કપ 2012, T20 વર્લ્ડ કપ 2014, T20 વર્લ્ડ કપ 2021 અને T20 વર્લ્ડ કપ 2022 રમ્યો હતો. આ રીતે રોહિત શર્મા T20 વર્લ્ડ કપની 8 એડિશનનો ભાગ રહ્યો છે. જોકે, T20 વર્લ્ડ કપ 2024 રોહિત શર્મા માટે નવમો T20 વર્લ્ડ કપ હશે.

રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે

તમને જણાવી દઈએ કે હાલમાં જ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા ભારતીય ટીમની કપ્તાની કરશે જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને સામસામે ટકરાશે. બંને ટીમો ન્યુયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં ટકરાશે.

  • Follow us on: