મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમની સફર સેમી ફાઈનલ પહેલા પૂરી થઈ ગઈ. આ ટુર્નામેન્ટમાં મોટાભાગના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જો કે હવે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. તેની કેપ્ટનસી જઈ શકે છે અને બોર્ડ નવા કેપ્ટનની શોધ કરી શકે છે.


બેઠક યોજી શકે છે બોર્ડ

રિપોર્ટ્સ અનુસાર, હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી જોખમમાં આવી શકે છે. BCCI ભારતીય કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરના ભવિષ્ય અંગે ચર્ચા કરવા પસંદગી સમિતિ અને મુખ્ય કોચને મળશે. આ બેઠકમાં હરમનપ્રીતની કેપ્ટનશીપ પર મોટો નિર્ણય લેવામાં આવશે.

ભારતનું અભિયાન ખરાબ રહ્યું હતું

ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભારતે પાકિસ્તાન અને શ્રીલંકા સામે શાનદાર જીત હાંસલ કરી હતી. પરંતુ સેમિફાઇનલમાં પહોંચવા માટે તેને ઓસ્ટ્રેલિયાને હરાવવું પડ્યું હતું. પરંતુ કરો યા મરો મેચમાં ભારતનો પરાજય થયો હતો અને ભારતને સેમીફાઈનલ મેચ હારવી પડી હતી.


આવું હતું હરમનપ્રીત કૌરનું પ્રદર્શન

હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સ્પર્ધામાં શાનદાર બેટિંગ કરી હતી. કૌરે ન્યૂઝીલેન્ડ સામે 15 રન બનાવ્યા હતા. તેણે પાકિસ્તાન સામે 29 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય હરમનપ્રીત કૌરે પણ શ્રીલંકા સામે અણનમ 52 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ હરમને 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ તે પોતાની ટીમને ઓસ્ટ્રેલિયા સામે જીત તરફ દોરી શકી ન હતી. હરમને પોતાના બેટથી ઘણા રન બનાવ્યા. પરંતુ તેના સિવાય અન્ય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વર્લ્ડકપમાં સ્મૃતિ મંધાનાનું બેટ ચાલ્યું ન હતું.


  • Follow us on: