ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાને સાબિત કર્યું છે. અભિષેક શર્માનું નામ વિશ્વ ક્રિકેટમાં ફેમસ છે. અભિષેક પહેલા આ જ અટક ધરાવતા ઘણા અન્ય ખેલાડીઓએ ભારતીય ક્રિકેટમાં હલચલ મચાવી છે.


તેમાંથી કેટલાક હજુ પણ રમી રહ્યા છે અને ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ છે. તો તમને 'શર્મા પ્લેઈંગ ઈલેવન' નો પરિચય કરાવી દઈએ. તમને જણાવી દઈએ શર્માજીના આ 11 છોકરાઓ કોણ છે?

અભિષેક શર્મા

સૌથું પહેલું નામ અભિષેક શર્માનું લઈએ. જેને 2 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં 54 બોલમાં 135 રન બનાવીને પોતાની બીજી T20 આંતરરાષ્ટ્રીય સદી પૂર્ણ કરી. અભિષેકે 17 T20 મેચોમાં 535 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 41 છગ્ગા અને 46 ચોગ્ગા લાગ્યા.

રોહિત શર્મા

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્માને કોઈ પરિચયની જરૂર નથી. વર્ષ 2024માં જ તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીત્યો. રોહિતે અત્યાર સુધીમાં તમામ ફોર્મેટમાં 19 હજારથી વધુ રન બનાવ્યા છે અને 48 સદી ફટકારી છે.

ઈશાંત શર્મા

ઈશાંત શર્મા એક એવો બોલર છે, જેણે ભારત માટે 100થી વધુ ટેસ્ટ રમી છે. તેને 105 ટેસ્ટમાં 311 વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંતના નામે 80 વનડેમાં 115 વિકેટ છે. ઈશાંતે T20I માં 14 મેચોમાં 8 વિકેટ પણ લીધી.

યશપાલ શર્મા

1983માં જ્યારે ભારતે પોતાનો પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે યશપાલ શર્માએ પણ તે જીતમાં ભૂમિકા ભજવી હતી. યશપાલે ભારત માટે 37 ટેસ્ટ અને 42 વનડે રમી છે. યશપાલ હવે આ દુનિયામાં નથી. જુલાઈ 2021 માં તેમનું અવસાન થયું.

ચેતન શર્મા

યશપાલ શર્માના ભત્રીજા ચેતન શર્મા પણ ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. ચેતન વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. આ બોલરે ભારત માટે 23 ટેસ્ટ અને 65 વનડે મેચ રમી છે. તેને બંને ફોર્મેટમાં 128 વિકેટ લીધી.

મોહિત શર્મા

ઝડપી બોલર મોહિત શર્માએ ભારત માટે 26 વનડેમાં 31 વિકેટ અને 8 T20માં 6 વિકેટ લીધી છે. આઈપીએલમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. મોહિતે 112 મેચોમાં 132 વિકેટ લીધી છે.

કર્ણ શર્મા

સ્પિનર ​​કર્ણ શર્માએ ભારત માટે માત્ર 4 મેચ રમી અને પાંચ વિકેટ લીધી. પરંતુ IPLમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ લીગમાં તેને 82 મેચોમાં 76 વિકેટ લીધી છે.

જોગીન્દર શર્મા

ભારતીય ક્રિકેટ ફેન્સ જોગીન્દર શર્માનું નામ ક્યારેય ભૂલી શકશે નહીં. જોગીન્દર, જે હવે પોલીસ અધિકારી તરીકે કાર્યરત છે, તેને 2007ના T20 વર્લ્ડકપમાં ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતિમ મેચમાં, તેને છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી. આ હોવા છતાં, તે મોટો ક્રિકેટર બની શક્યો નહીં. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ફક્ત 8 મેચ સુધી મર્યાદિત હતી.

અજય શર્મા

અજય શર્માએ ભારત માટે 31 વનડેમાં 424 રન અને એક ટેસ્ટમાં 53 રન બનાવ્યા. પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેને 129 મેચોમાં 67.46 ની પ્રભાવશાળી એવરેજથી 10,120 રન બનાવ્યા.

ગોપાલ શર્મા

64 વર્ષીય ગોપાલ શર્માએ ભારત માટે 11 ટેસ્ટ અને 5 વનડે રમી છે. તેને બંને ફોર્મેટમાં દસ વિકેટ લીધી. આ સિવાય તે ટીમ ઈન્ડિયાની રાષ્ટ્રીય પસંદગી સમિતિનો પણ ભાગ હતો.

સંજીવ શર્મા

59 વર્ષીય સંજીવ શર્માએ ટીમ ઈન્ડિયા માટે 2 ટેસ્ટ મેચમાં 6 વિકેટ લીધી હતી. આ સિવાય તેને 23 ODI મેચોમાં 22 વિકેટ લીધી. વનડેમાં તેના બેસ્ટ પ્રદર્શનમાં 26 રન આપીને 5 વિકેટ લેવાનો સમાવેશ થાય છે.


  • Follow us on: