• T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ટુંક સમયમાં થશે જાહેરાત
  • આ ટૂર્નામેન્ટમાં રિયાન પરાગને ટીમમાં મળી શકે છે સ્થાન
  • શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને રિંકું સિંહનું સ્થાન જોખમમાં

ICC T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં કયા 15 ખેલાડીઓને તક મળશે તે એક મોટો પ્રશ્ન છે. ઘણા ખેલાડીઓ IPL 2024માં પોતાના પ્રદર્શનથી વર્લ્ડકપ ટીમમાં સિલેકશન માટે દાવો ઠોકી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના પસંદગીકારો પણ મૂંઝવણમાં છે કે કોને પડતો મૂકવો અને કોને ટીમમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનકેપ્ડ ખેલાડી રિયાન પરાગને T20 વર્લ્ડકપમાં સ્થાન મળી શકે છે.

ખેલાડીનું પ્રદર્શન કેવું છે?

રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. વિસ્ફોટક બેટ્સમેન રિયાન આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. IPL 2024માં ઓરેન્જ કેપની રેસમાં તે બીજા ક્રમે છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમી છે, જેમાં તેણે 3 ફિફ્ટીની મદદથી 318 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેણે 63.60ની એવરેજ અને 161ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. કોહલી પછી ઓરેન્જ કેપની રેસમાં તે બીજા ક્રમે છે. આ કારણથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. ખેલાડીના આવવાના કારણે 3 ખેલાડીઓની જગ્યા મુશ્કેલીમાં મુકાશે.

આ 3 ખેલાડીઓ થઈ શકે બહાર

જો BCCI ભારતીય ટીમની ટીમમાં રિયાન પરાગનો સમાવેશ કરે છે તો તેનાથી શ્રેયસ ઐયરની મુશ્કેલીઓ વધી જશે. ઐયર આ IPLમાં કોઈ ખાસ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. ઐયરે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી 140 રન બનાવ્યા છે. આ સિવાય રિયાન કેએલ રાહુલને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. રાહુલ પણ આઈપીએલમાં પોતાના બેટથી કંઈ ખાસ કમાલ દેખાડી શક્યો નથી. રાહુલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર 204 રન જ આવ્યા છે. આવી સ્થિતિમાં તેમનું સ્થાન પણ જોખમમાં આવી શકે છે. આ સિવાય ત્રીજા ખેલાડી તરીકે રિંકુ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આ સિઝનમાં રિંકુનું બેટ પણ શાંત છે. રિંકુ આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી ચૂક્યો છે. પરંતુ તેના બેટમાંથી માત્ર 83 રન જ આવ્યા છે. આવી સ્થિતિમાં જો રિયાનને ટીમમાં એન્ટ્રી મળે છે તો આ ત્રણ ખેલાડીઓની જગ્યા જોખમમાં આવી શકે છે.

  • Follow us on: