• અગરતલાથી તેના સાથી ખેલાડીઓ સાથે સુરત જઈ રહ્યો હતો મયંક અગ્રવાલ
  • મોં પર સોજો આવી ગયો હતો અને તેઓ બોલી પણ શકતા ન હતો અગ્રવાલ
  • ત્રિપુરાના એસપી કિરણ કુમારનું પણ નિવેદન આવ્યું

ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ 30 જાન્યુઆરી, મંગળવારના રોજ અકસ્માતનો શિકાર બનીને બચી ગયો હતો. તે ત્રિપુરાની રાજધાની અગરતલાથી તેના સાથી ખેલાડીઓ સાથે સુરત જઈ રહ્યો હતો. અહીં તેની રણજી ટીમે સોમવારે ત્રિપુરા સામે શાનદાર જીત નોંધાવી હતી. ત્યારપછી જ્યારે મયંક મંગળવારે સાંજે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5177માં ચડ્યો ત્યારે સીટ પર પહોંચતા જ તેણે ત્યાં રાખેલી બોટલમાંથી પાણી પીધું. જે બાદ તેમની તબિયત અચાનક બગડતાં તેમને પ્લેનમાંથી ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

શું મયંકની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું?

આ પછી મયંકને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત નાજુક હતી, ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવે જણાવ્યું હતું કે તેમના મોં પર સોજો આવી ગયો હતો અને તેઓ બોલી પણ શકતા ન હતા. આ પછી એવી અટકળો પણ શરૂ થઈ હતી કે આ મયંક અગ્રવાલ વિરુદ્ધ હત્યાનું કાવતરું હતું કે પછી સ્ટાફની ભૂલ. પરંતુ પ્રશ્ન એ છે કે જો કોઈ ભૂલ હતી તો ફ્લાઈટમાં હાજર અન્ય મુસાફરોમાંથી કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. તો પછી આવું માત્ર મયંક અગ્રવાલ સાથે જ કેમ થયું? આ કારણે ઘટના બાદ બીજા દિવસે મયંકના મેનેજરે પોલીસમાં ફરિયાદ કરી હતી.


SP કિરણ કુમારે શું કહ્યું?

આ સમગ્ર મામલે પશ્ચિમ ત્રિપુરાના એસપી કિરણ કુમારનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું, 'આ મામલાની તપાસ માટે NCCPS (ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીટ પર રાખેલ પાણી પીતાની સાથે જ તેનું મોં બળવા લાગ્યું અને તે કંઈ બોલી પણ ન શક્યો. તેને તાત્કાલિક ILS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના મોઢામાં સોજો અને અલ્સર હતા.

  • Follow us on: