ભારતની વધતી જતી વીજ માંગ તેના આર્થિક વિસ્તરણ સાથે આંતરિક રીતે જોડાયેલી છે. છેલ્લા દાયકામાં 5.8 ટકાના સરેરાશ વૃદ્ધિ દર સાથે રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન અને શહેરીકરણ જેવી સરકારી પહેલો દ્વારા દેશની ઝડપી આર્થિક વૃદ્ધિ, વીજ માંગમાં સતત વધારો થવાની ધારણા છે. સૌ માટે 24 કલાક અને સાતેય દિવસ પાવર, સૌભાગ્ય યોજના, ગ્રીન એનર્જી કોરિડોર અને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ્સ(પીએલઆઈ) જેવી મુખ્ય નીતિઓ આ માંગને વધુ સમર્થન આપી રહી છે. જેનો ઉદેશ્ય મજબૂત અને સ્થિતિસ્થાપક ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.


નાણાંકીય વર્ષ 2018-19 અને નાણાંકીય વર્ષ 2023-24ની વચ્ચે ભારતના પાવર સેક્ટરમાં રોકાણ અંદાજે રૂ.14.7 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. અને આ વલણ ચાલુ રાખવા માટે સીઆરઆઈએસઆઈએલ કન્સલ્ટિંગ દ્વારા નાણાંકીય વર્ષ 2024-25થી નાણાંકીય વર્ષ 2028-29 સુધી રૂ.24.5 લાખ કરોડ તથા રૂ.25.5 લાખ કરોડની વચ્ચે વધુ રોકાણનો અંદાજ છે. આ રોકાણનો મોટાભાગનો હિસ્સો રિન્યુએબલ એનર્જી (આરઈ) ક્ષમતા વિસ્તરણ તરફ જશે, જેમાં આરઈનો હિસ્સો ભાવિ પેઢીના રોકાણના 70 ટકાથી વધુ છે. આ આરઈ ક્ષમતાના 215-225 ગીગાવોટના અપેક્ષિત ઉમેરા સાથે સંરેખિત છે, જે આ સમયગાળા દરમિયાન કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી 25-27 ગીગાવોટ દ્વારા પૂરક છે.

ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે ઓગસ્ટના 2024 સુધીમાં આશરે 200 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. જે 2012થી પાંચ ગણો વધારો છે. જેમાં સૌર ઊર્જા આ વિસ્તરણને આગળ ધપાવે છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે સહાયક પ્રોત્સાહનોને કારણે માર્ચ 2012માં સૌર ઊર્જા ક્ષમતા માત્ર 0.09 ગીગાવોટથી વધીને ઓગસ્ટ 2024માં લગભગ 89 ગીગાવોટ થઈ ગઈ છે. ખાસ કરીને રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્યપ્રેદશ અને આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં સૂર્ય ઊર્જા તેની ઉચ્ચ સૌર ક્ષમતાને કારણે ભારત માટે નોંધપાત્ર વચન ધરાવે છે.

 જો કે, આ ક્ષેત્રમાં પડકારો યથાવત્ છે. પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, વધારાના કર અને કાનૂની મુદ્દા જેમ કે ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ ખટલાએ પ્રોજેક્ટસની સમયરેખા અને ખર્ચને અસર કરી છે. જેના પરિણામે ઘણી વખત ઊંચી બિડ ટેરિફ અથવા પાવર સપ્લાય એગ્રીમેન્ટ (પીએસએ) પર હસ્તાક્ષર કરવામાં વિલંબ થાય છે. વૈશ્વિક મોરચે, ચીન જેવા મુખ્ય મેન્યુફેકચરિંગ હબમાં ભૌગોલિક રાજકીય તણાવ અને પુરવઠામાં વિક્ષેપને કારણે સોલાર મોડયુલની કિંમતમાં વધારો થયો છે.


  • Follow us on: