- અનંત સાથે જ્હાન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ સાથે જોવા મળ્યો
- મંદિરની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અને રાધિકા મર્ચન્ટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું
- લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ દરમિયાન અનંત અંબાણી કૃષ્ણ કાલી મંદિરના હવનનો હિસ્સો બન્યો છે. અનંત રવિવારે સાંજે મંદિરમાં જોવા મળ્યો હતો. તેની સાથે જ્હાન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. 30 જૂનની સાંજે કડક સુરક્ષા વચ્ચે અનંત અંબાણી મહારાષ્ટ્રના નેરલ પહોંચ્યા હતા. કૃષ્ણ કાલી મંદિરની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અને રાધિકા મર્ચન્ટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.










