• સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી, આશ્રમને સુખ આપનારું સ્થાન ગણાવ્યું

  • કંગના રનૌત ખૂબ જ આધ્યાત્મિક છે. તે અવારનવાર મંદિરની મુલાકાત લે છે
  • ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં સદગુરુ ખુરશી પર બેઠા છે

હિમાચલપ્રદેશના મંડીથી સાંસદ બન્યા બાદ કંગના રનૌત સદગુરુના કોઇમ્બતૂર આશ્રમ પહોંચી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે સદગુરુના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈશા ફાઉન્ડેશન સેન્ટરના કેમ્પસમાં લટાર મારતી વખતે સફેદ બોર્ડર અને મોટિફ્ સાથે હળવા ગુલાબી રંગની સાડી પહેરી હતી.

 તેણે ઈશા ફાઉન્ડેશન સેન્ટરને પોતાની ખુશીનું સ્થળ ગણાવ્યું. આ પહેલા કંગના આદિયોગીના દર્શન કરવા પહોંચી હતી. કંગના રનૌત ખૂબ જ આધ્યાત્મિક છે. તે અવારનવાર મંદિરની મુલાકાત લે છે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે સદગુરુના આશીર્વાદ લેવા જાય છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં સદગુરુ ખુરશી પર બેઠા છે અને અભિનેત્રી તેમના ચરણ પાસે બેસીને હસતી જોવા મળી હતી. અભિનેત્રીની આ તસવીર ચાહકોનું ધ્યાન ખેંચી

રહી છે.

તાજેતરના સમયમાં તેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેણે મંડી લોકસભા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવીને જીત મેળવી હતી. આ જીતને લઈને અભિનેત્રી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું હતું કે તેની માતૃભૂમિએ તેને પાછી બોલાવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી' હજુ રિલીઝ થવાની બાકી છે. લોકસભા ચૂંટણીને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ્ રાખવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થવાની આશા છે. અભિનેત્રીએ આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પોતે કર્યું છે. આ ફિલ્મમાંતે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.


  • Follow us on: