- ઇન્ડસ્ટ્રીઝમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ અંગે એક્ટર મનોજ બાજપેયીએ પોતાનો મત રજૂ કર્યો
- મનોજ બાજપેયીની 100મી ફિલ્મ 'ભૈયાજી' હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે
- દરરોજ સંબંધો અને લગ્નો તૂટતાં જાય છે. મનોજે કહ્યું 'આપણા સમાજે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ અપનાવ્યો છે
મનોજ બાજપેયીની 100મી ફિલ્મ 'ભૈયાજી' હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ દરમિયાન મનોજે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા છૂટાછેડા ઉપર પ્રતિક્રિયા આપી છે. મનોજ કહે છે, જો તમે તીસ હજારી કોર્ટમાં જાઓ અને છૂટાછેડાનો દર જાણો તો તમને સમજાશે કે અમે આજે ક્યાં પહોંચી ગયા છીએ. દરરોજ સંબંધો અને લગ્નો તૂટતાં જાય છે. મનોજે કહ્યું 'આપણા સમાજે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ અપનાવ્યો છે અને તેના ફાયદા પણ છે, પરંતુ ગેરફાયદાને પણ આપણે નજરઅંદાજ કરી શકતા નથી. તમે કોર્ટમાં પરિણામો જોઈ શકો છો.' 'ઇન્ડસ્ટ્રીના લોકો' કહેવા પર મનોજે રિએક્શન આપ્યું છે. તેમણે કહ્યું 'તો શું ઇન્ડસ્ટ્રીઝ સમાજનો એક ભાગ નથી? સમાજના લોકો ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે. જ્યારે લોકો એક જ સમાજના હોય, ત્યારે શું સ્વાભાવિક નથી કે સમાજમાં જે પરિવર્તન આવે છે તે ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળશે? અગાઉ ઇન્ડસ્ટ્રીમાં આજના જેટલા છૂટાછેડા નહોતા. પરંતુ હવે અહીંના લોકો ખુલ્લા મનના બની ગયા છે અને પોતાને કોઈ રાજ્ય કે દેશ સાથે જોડતા નથી, જે પોતાનામાં સારી વાત છે.' ડ્રગ્સ લેવાની અફવાઓ વિશે બોલતા મનોજે કહ્યું 'સૌથી પહેલાં તો તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી નાની છે. હવે આ નાના ઉદ્યોગમાં ઘણા લોકોને કામની જરૂર છે. જો કોઈ વ્યક્તિ કોઈ ખૂણામાં ખોટું કરતા પકડાઈ જાય તો તેનો અર્થ એ નથી કે આખી ઇન્ડસ્ટ્રી ખરાબ છે.' મનોજે કહ્યું કે 'હું મારા મિત્રો અને સહ કલાકારો પણ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છીએ.જે પૈકી 95% લોકો માત્ર તેમના કામ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને મિત્રો માટે પણ પ્રમાણિક અને લાગણીશીલ હોય છે. થોડી ઘટનાઓ સાબિત કરી શકતી નથી કે આખો ઉદ્યોગ આવો છે.










