- આ ફિલ્મમાં દલજિત, અર્જુન અને વરુણ ડબલ રોલમાં જોવા મળશે
- ફિલ્મમાં દિલજીત દોસાંજ, અર્જુન કપૂર અને વરુણ ધવનની ત્રિપુટી જોવા
- ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે
બોની કપૂરે ફિલ્મ 'નો એન્ટ્રી-2'ની જાહેરાત કરી છે. તે 2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલ છે. ફિલ્મમાં દિલજીત દોસાંજ, અર્જુન કપૂર અને વરુણ ધવનની ત્રિપુટી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. ફિલ્મ 'નો એન્ટ્રી'ના 20 વર્ષ પૂરા થવા પર તે 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ફિલ્મમાં દિલજીત, અર્જુન અને વરુણ ડબલ રોલમાં જોવા મળશે. તે જ સમયે સલમાન ખાન આ ફિલ્મનો ભાગ નહીં હોય.બોની કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેણે ત્રણ સ્ટાર્સને કેમ કાસ્ટ કર્યા છે. તેણે કહ્યું કે વરુણ અને અર્જુન ઘણા સારા મિત્રો છે. બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી સ્ક્રીન પર જોવા મળશે. તે જ સમયે, આજે દિલજિતનું પણ ફેન ફોલોઇંગ વધારે છે. આ સંદર્ભમાં ત્રણેય સ્ક્રીન ઉપર ધૂમ મચાવશે. ફિલ્મ 'નો એન્ટ્રી' 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું હતું અને બોની કપૂર દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફ્રદીન ખાનની ત્રિપુટી જોવા મળી હતી. ફિલ્મની વાર્તા આ ત્રણની આસપાસ હતી.ફિલ્મમાં બિપાશા બાસુ, ઇશા દેઓલ, સેલિના જેટલી, લારા દત્તા, બોમન ઈરાની, સમીરા રેડ્ડી અને નીતા શેટ્ટી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. હાલમાં નિર્માતા બોની કપૂર આગામી ફિલ્મ 'મેદાન'ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રવીન્દ્રનાથ શર્માએ કર્યું છે.'મેદાન' ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. સૈયદ અબ્દુલ રહીમે પોતાનું સમગ્ર જીવન ફૂટબોલને સમર્પિત કર્યું હતું અને ભારત માટે ઘણી સિદ્ધિઓ પણ લાવી હતી. ફિલ્મમાં અજય દેવગને તેનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે પ્રિયામણી અને ગજરાવ રાવ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ઈદના અવસર પર 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.










